SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૫]. કામીની દયનીય દશા ૧૩૫ એટલે જરૂર મને છોડી દેશે, તેથી તે અહીં જ રહે તેવી ગોઠવણ કરું.” આવું વિચારી તેણે આ ખબર ગુપ્ત રીતે પોતાના ભાઈને આપી દીઘા. તે ખબર જાણી રાજાએ કોપાયમાન થઈ તેની ઉપર વિશેષ જાપતો કર્યો અને તેને દુઃખી કરવા માટે ઘરે ઘરે ભિક્ષા માગવા મોકલ્યો. ઘરે ઘરે ભિક્ષા માટે ભટકતાં કંટાળી ગયેલો મુંજ આ પ્રમાણે બોલતો હતો इत्थीपसंग मत को करो, तियविसास दुःखपुंज । घर घर तिणे नचावीओ, जिम मक्कड तिम मुंज ॥१॥ અર્થ-“સ્ત્રીનો પ્રસંગ કોઈ પણ પ્રાણી કરશો નહીં. તેમાં પણ સ્ત્રી જાતિનો વિશ્વાસ તો દુઃખના ઢગલારૂપ જ છે. જુઓ, તેનો વિશ્વાસ કરવાથી મર્કટની જેમ આ મુંજને તે ઘરે ઘરે નચાવે છે.” વળી મોટા યતિઓના વેષ છોડી જેઓ આ દાસી જેવી સ્ત્રીઓ ઉચર રાચે છે તે પુરુષ આ મુંજરાજાની પેઠે ઘણા પરાભવને સહન કરે છે. વળી જે બુદ્ધિ પછવાડે ઊપજી, તે જો પહેલી ઊપજી હોત તો આ મુંજરાજાની મૃણાલવતીએ જે દશા કરી છે તે થાત નહીં. એક વખતે મુંજરાજાએ કોઈને ઘેર જઈ સ્ત્રીની પાસે ભિક્ષા માગી, તે સ્ત્રીએ ગર્વથી મુંજનો તિરસ્કાર કર્યો. ત્યારે મુંજરાજાએ કહ્યું કે, “હે ઘનવતી સ્ત્રી! આ તારા ઘરના ગાયોના સમૂહને જોઈને તું આટલો બધો ગર્વ કર નહીં, કેમકે આ મુંજરાજાના ચૌદસો ને છોંતેર હાથીઓ ચાલ્યા ગયા છે.' એકદા અક્ષયતૃતીયાને દિવસે મુંજરાજા કોઈને ઘેર ભિક્ષા માગવા ગયો, ત્યાં કોઈ ગૃહસ્થની સ્ત્રીએ ઘીના બિંદુએ ટપકતો માંડો હાથમાં લઈ મોઢા વડે બટકું ભર્યું. તે જોઈ મુંજ બોલ્યો કે रे रे! मंडक! मा रोदी,र्यदहं खंडितोऽनया । रामरावणमुंजाद्याः, स्त्रीभिः के के न खंडिताः॥१॥ ભાવાર્થ-“અરે માંડા! મને આ સ્ત્રીએ ખંડિત કર્યો એમ ઘારી તું રો નહીં, કારણ કે રામ, રાવણ અને મુંજ વગેરે કયા કયા પુરુષોને સ્ત્રીઓએ ખંડિત નથી કર્યા?” આગળ જતાં કોઈ ઘરમાં કોઈ સ્ત્રી રેંટીઓ ફેરવતી હતી તેનો અવાજ સાંભળી મુંજ બોલ્યો કે–“અરે રેંટીઆ! આ સ્ત્રી તને ભમાવે છે તેમ જાણી તું રો નહીં, કારણ કે સ્ત્રી કોને નથી ભમાવતી? એક ખોટા કટાક્ષના આક્ષેપમાત્રમાં ભમાવી દે છે તો જેને હસ્ત વડે આકર્ષણ કરે તેની તો વાત જ શી કરવી! વળી તે ચંદ્રલેખાના જેવી કુટિલ છે, સંધ્યાના જેવી ક્ષણ રાગ* ઘરનારી છે અને નદીની જેમ નીચા સ્થળમાં જનારી છે, તેવી સ્ત્રી સર્વથા છોડી દેવા યોગ્ય છે.” આ પ્રમાણે મુંજરાજાને ઘણા વખત સુધી ભિક્ષા મંગાવી છેવટે તેને યમરાજનો અતિથિ કર્યો. ઉપર પ્રમાણે લૌકિક શાસ્ત્રમાં પણ સ્ત્રીનો સંગ ત્યાજ્ય” કહેલો છે તો જૈનશાસ્ત્રમાં તો વિશેષ પ્રકારે કહેલ છે એમ સમજવું. સ્ત્રીના સંગનો જે ભાવથી ત્યાગ કરે તેને જ ખરા બ્રહ્મચારી જાણવા, પણ બાંઘેલા ઘોડાની જેમ નિરુપાયે બ્રહ્મચર્ય પાળે તેને બ્રહ્મચારી ન જાણવા. કેમકે બાંધેલા ઘોડા દ્રવ્યથી વિષયસેવન નથી કરતા, પણ મનમાં વારંવાર ઘોડીનું સ્મરણ કરતા હોવાથી તે બહુ કર્મ બાંધે છે. અશ્વબ્રહ્મચર્ય ઉપર એક દ્રષ્ટાંત કહેવાય છે તે આ પ્રમાણે બ્રહ્મચારી ઘોડાનું દ્રષ્ટાંત-કોઈ એક રાજાની પાસે કોઈ પુરુષે આવી એક ઉત્તમ અશ્વ ભેટ * સંધ્યા પક્ષે રંગ એવો અર્થ સમજવો x તજવા યોગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy