SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ સ્તિંભ ૭ મોક્ષાભિલાષી એવા આ મુનિઓને ઘન્ય છે, કે જેઓને આવી સુંદર શરીરવાળી, મારી નટીથી પણ અસંખ્યાધિક રૂપવાળી સ્ત્રી મોદક વગેરે પદાર્થો વહોરવા વિનંતિ કરે છે, તથાપિ તે મુનિ કાગડાના મૈથુનની જેમ તેની સામું પણ જોતા નથી, અને હું કેવો રાગાંઘ છું, કે જે આ નીચ કન્યા ઉપર આસક્ત થઈ પડ્યો છું! અહો! મારા આવા કૃત્યને ધિક્કાર છે, તેમજ આ સંસારના સ્વરૂપને પણ ધિક્કાર છે. આ પ્રમાણે વિષયસુખમાં તદ્દન વિરક્ત થઈ શુભ ધ્યાન ધ્યાતાં ઇલાપુત્રને સામાયિક ચારિત્ર પર્યત સર્વ ભાવ ફરસી ગયા. તેના પ્રભાવ વડે પ્રાંતે તેના ઘાટા ઘાતી કર્મનો ક્ષય થવાથી લોકાલોકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન જાણે સંકેત કરી રાખેલ હોય તેમ તેને ઉત્પન્ન થયું. પછી વાંસ ઉપરથી નીચે આવતાં ઇલાપુત્ર કેવળીને દેવતાઓએ સાધુનો વેષ અર્પણ કર્યો તે ઘારણ કરીને ઇલાપુત્રે ઘર્મદેશના આપી. તે સાંભળી રાજા પ્રમુખ સભાજનોએ તેમને નટી ઉપર થયેલા રાગનું કારણ પૂછ્યું. કેવળીએ પોતાના પૂર્વભવની વાર્તા કહી સંભળાવી. તેમાં જણાવ્યું કે, “પૂર્વે બ્રાહ્મણના ભવમાં મેં મારી સ્ત્રી સાથે દીક્ષા લીધી હતી; પણ અમે બન્નેએ જાતિમદ કર્યો હતો, તે પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને હું વણિક કુળમાં જન્મ્યા છતાં નટ થયો અને મારી પૂર્વ ભવની સ્ત્રી જાતિમદથી આ નટી થયેલી છે. પૂર્વ ભવમાં મારો કામરાગ તેની ઉપર ગાઢ હતો, તેથી આ ભવમાં પણ મને તેના પર અતિ રાગ થયો; કારણ કે પ્રાણીઓને વૈર અને સ્નેહ ભવાંતરગામી થાય છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી તે નટીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, “મારા રૂપને ધિક્કાર છે! કે જેને લીધે આવા ઘનાટ્યના પુત્રો અને રાજા વગેરે ઘણા લોકો પણ દુર્બસનમાં આવી પડે છે. હવે મારે વિષયસુખથી સર્યું.” આવી ભાવના કરતાં તે નટીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નાટક જોવા બેઠેલી રાજાની રાણીએ ચિંતવ્યું કે, “અહો! આ રાજા થઈને પણ મહા અધમ કુળમાં ઉત્પન્ન થયેલી નટી ઉપર મોહ પામ્યા; માટે એવા વિષયવિલાસને ધિક્કાર છે!” આવી ભાવના ભાવતાં તેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાએ પણ ચિંતવ્યું કે, પોતાના ઉત્તમ કુળને છોડી આ ઇલાપુત્ર નટજાતિની સ્ત્રીપર મોહ પામી ઘનની ઇચ્છાથી મારી પાસે રમવા આવ્યો અને મેં પણ તેવી નીચ જાતિની સ્ત્રીની ઇચ્છા કરી, માટે કામદેવને ધિક્કાર છે” આવી ભાવના ભાવતાં તે પણ કેવળી થયા. આ પ્રમાણે મહાજ્ઞાની ઇલાપુત્રે ઘણા જીવોને તાર્યા. જે ઇલાપુત્ર ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી શુભવંશ (વાંસ) નો આશ્રય કરતાં કુવંશ (નઠારા કુળ) ના આચારરૂપ સંસારનૃત્યને છોડી દઈ મુનિનું આચરણ જોઈ છેવટે ચિદાત્મરૂપે તદ્રુપ થઈ ગયા, તે ઇલાપુત્રને ઘન્ય છે. વ્યાખ્યાન ૧૦૧ શીલવંત ઉપાદેય એ શીલવ્રતનો શ્રી જિનેંદ્ર ભગવંતે પણ આદર કરેલો છે, તેથી તે આચરવા યોગ્ય છે તે વિષે કહે છે– येषां मुक्तिधूवं भावि, शीलं चरंति तेऽपि हि । तदा संसारिजीवानां, कार्योऽजस्रं तदादरः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy