SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૫ રીતે બીજા વ્રતોમાં પણ છ ભાંગા જાણી લેવા. પહેલા વ્રતમાંના જે છ ભાંગા કર્યા તેને સાતે ગુણીને તેમાં છ ઉમેરવાથી અડતાળીશ ભાંગા થાય છે. તેવી રીતે આગળના વ્રતોના પણ થાય છે. એમ બારમા વ્રત સુધી જાણી લેવા. એકંદર એકસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી, એમ બારે વ્રતના પરસ્પર સંયોગી ભાંગા કરતાં સર્વ ભાંગાની સંખ્યા તેરસે ને ચોરાશી કોટી, બાર લાખ, સત્યાશી હજાર અને બસોની થાય છે. અહીં આ વિષે ઘણું જાણવાનું છે તે ‘શ્રાવક વ્રતભંગ પ્રકરણ’’ તથા ‘‘ધર્મરત્ન’” વગેરે ગ્રંથોથી જાણી લેવું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “જે મુનિઓ ગૃહસ્થ તથા રાજાદિકના અભિયોગ (આગાર) વિના સ્થૂલ પ્રાણીઓની હિંસાથી જ નિવૃત્તિ કરાવે તેમને સ્થાવર હિંસા સંબંધી અનુમતિનો દોષ લાગે અને તેથી મુનિઓને સર્વવિરતિપણાની હાનિનો પ્રસંગ આવે, અને ગૃહી શ્રાવકોને એ પ્રકારે પચખાણ કરતાં પોતાની કરેલી પ્રતિજ્ઞામાં અતિચાર પ્રાપ્ત થાય; કેમકે જે સ્થાવર જીવ છે તે ત્રસપણે ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવ સ્થાવરપણે ઉત્પન્ન થાય છે, તો કરેલો નિયમ ન સચવાયાથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. જેમકે કોઈએ નગરવાસી જનને મારી નાખવો નહીં.* એવી જે કાળે પ્રતિજ્ઞા કરી તે કાળે જે કોઈ નગરમાં હોય અને પછી ઉદ્યાનમાં જાય તે માણસને નગરવાસી નહીં ગણીને જો તે હણી નાખે તો તેને પ્રતિજ્ઞા ભંગ કર્યાનો દોષ કેમ નહીં લાગે? એમ શ્રાવકે ત્રસપણામાં રહેલા જીવને મારવાની નિવૃત્તિ કરી, પણ જ્યારે તે જીવ સ્થાવ૨૫ણાને પ્રાપ્ત થયો, ત્યારે તેને મારવાથી તો ઉપર પ્રમાણે દોષ કેમ ન લાગે? અવશ્ય લાગવો જોઈએ. તેથી પચખાણ કરનાર અને કરાવનાર બન્નેની પ્રતિજ્ઞાનો લોપ થાય છે.’’ તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે—અરે શિષ્ય, તને આ શો વ્યામોહ થયો છે, કે જેથી આવો અણસમજભરેલો પક્ષ કરે છે? ગૃહી શ્રાવકો જ્યારે સાધુ પાસે વ્રત લેવા આવે છે, ત્યારે તે કહે છે કે, હે મુનિવર્ય! અમે અણગારપણું (સાધુપણું) લેવાને શક્તિમાન નથી, પણ અમે નિરપરાધ ત્રસ કાય જીવનો વધ ન કરવાનું પચખાણ પાળવાને શક્તિમાન છીએ. આવી ધારણા કરીને તેઓ વ્રત લે છે, તેથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. વળી તેઓ રાયમિયોમેળ વગેરે છ છીંડીઓ સહિત વ્રત અંગીકાર કરે છે, તેથી રાજાદિકના અભિયોગથી કદી ત્રસ જીવનો વધ કરવો પડે, તોપણ તેમના વ્રતનો ભંગ થતો નથી. આ સંબંધમાં એક કથા છે તે આ પ્રમાણે ગૃહસ્થને અણુવ્રત ગ્રહણ કરાવતાં સાધુને જીવોની હિંસાની અનુમોદના લાગતી નથી તે ઉપર કથા રત્નપુર નામના નગરમાં રત્નશેખર નામે રાજા હતો. એક દિવસ તેણે પોતાના અંતઃપુરની સ્ત્રીઓને અને નગરના લોકોને સ્વેચ્છાએ ક્રીડા કરવાને માટે કૌમુદી મહોત્સવ કરવાની આજ્ઞા આપી; અને નગરમાં એવી આઘોષણા કરાવી કે રાજા વગેરે સર્વ પુરુષોએ ઉદ્યાનમાં આવવું, કોઈએ નગરમાં ન રહેવું. આથી સર્વેએ તેમ કર્યું. એ વખતે એક વણિકના છ પુત્રો ક્રયવિક્રય વગેરે વ્યાપારમાં વ્યગ્ર હોવાથી નગરમાં જ રહી ગયા અને રાજસેવકોએ શહેરના દરવાજા બંધ કરી દીધા. બઘા નીકળી ગયા પછી રાજાએ પુરરક્ષકોને કહ્યું કે, તપાસ કરો કે નગરમાં કોઈ પુરુષ છે * અહીં નગરમાં હોય તેને ન મારવો, પણ ઉદ્યાનમાં હોય તેને મારવો એવો અર્થ નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy