SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૪૩] સમકિતનું ત્રીજું લક્ષણ-નિર્વેદ ૧૪૯ તેણે એક મનોહર સરોવર જોયું. તે સરોવરમાં સ્નાન કરી રાજપુત્ર તેની ઉત્તર દિશામાં રહેલા એક ઉદ્યાનમાં પેઠો. તે ઉદ્યાનમાં સુંદર કમળથી સુશોભિત એક વાવ દીઠી; એટલે તેમાં તે કૌતુકથી ઊતર્યો. તે વાવના મધ્ય ભાગમાં એક દ્વાર હતું. તેમાં તે પેઠો તો ત્યાં એક યક્ષનું મંદિર જોયું. તેવામાં રાત્રી સમય થઈ જવાથી રાજપુત્ર તે યક્ષના મંદિરમાં જ મૂર્તિની પાછળ સૂતો. થોડી વારે નૂપુરના રણ રણ શબ્દ કરતી કેટલીક અપ્સરાઓ ત્યાં આવીને તે યક્ષની પાસે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરી રહ્યા પછી શ્રમનો નાશ કરવા માટે તે અપ્સરાઓ પોતાના ઘણા કિંમતી વસ્ત્રો ત્યાં જ ઉતારી વાવમાં નાહવા પડી. તે વખતે રાજપુત્રે યક્ષમંદિરનું દ્વાર ઉઘાડી તે સર્વ વસ્ત્રો ઉપાડી લીધાં અને મંદિરમાં પેસી દ્વાર બંધ કરી દીધાં. પેલી અપ્સરાઓ સ્નાન કરી બહાર નીકળીને જુએ છે તો ત્યાં પોતાનાં વસ્ત્રો દીઠાં નહીં. તેથી તેઓ પરસ્પર બોલી કે, “ખરેખર આપણાં વસ્ત્ર કોઈ ધૂર્ત હરી લીઘાં જણાય છે, પરંતુ તે આપણાથી પણ ભય પામ્યો નથી તેથી તે દંડથી સાધી શકાશે નહીં.” એમ વિચારી સામ (મિષ્ટ) વાક્યોથી તેને લોભ પમાડીને તે અપ્સરાઓ બોલવા લાગી કે, “હે ઉત્તમ પુરુષ! અમારાં વસ્ત્રો આપ.” રાજકુમારે અંદરથી જ જવાબ આપ્યો કે, “પ્રચંડ વાયુ તમારા વસ્ત્રો હરણ કરી ગયો હશે, માટે તેની પાસે તમે જાઓ.” તે સાંભળીને તેના સાહસથી સંતુષ્ટ થયેલી અપ્સરાઓ બોલી કે, “હે વત્સ! અમે તારા સાહસથી પ્રસન્ન થયા છીએ માટે આ ખત્રરત્ન તથા આ દિવ્ય કંચુક તને આપીએ છીએ તે લે ને અમારા વસ્ત્રો આપ.” તે સાંભળીને રાજપુત્ર દ્વારા ઉઘાડી તેમનાં વસ્ત્રો આપી ક્ષમા માગી. દેવીઓ તે બન્ને ચીજો તેને આપીને સ્વસ્થાને ગઈ. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. માર્ગમાં એક નિર્જનનગર જોયું. તે નગરમાં કૌતુકથી ફરતો ફરતો તે રાજગૃહની સમીપે પહોંચ્યો, અને તેની સાતમી ભૂમિકા પર ચડી ગયો. ત્યાં તેણે કમળના સરખા લોચનવાળી એક સુંદર કન્યાને દીઠી. તેનું દિવ્ય સ્વરૂપ જોઈને કુમારે વિચાર્યું કે किमेषा प्रथमो सृष्टिर्विधात्रा रक्षिता ध्रुवम् । एतां दृष्ट्वा यथा नारीमन्या नारीः सृजाम्यहम् ॥१॥ ભાવાર્થ-“શું આ નારીને જોઈને હું બીજી નારીઓ સર્જીશ એમ ઘારીને વિઘાતાએ આ કન્યારૂપ પ્રથમ સૃષ્ટિ રચીને અહીં રાખી મૂકી હશે!” અર્થાત્ આ કન્યાનું રૂપ એવું સુંદર છે કે આને જોઈને જ બીજી સ્ત્રીઓ સર્જી હોય એમ જણાય છે. એટલે બીજી સ્ત્રીઓ આના કરતાં ઓછી રૂપવંત દેખાય છે. આ પ્રમાણે વિચારતો રાજપુત્ર તે કન્યા પાસે ગયો. એટલે તેણે તેને આસન નાંખી આપ્યું. તે પર રાજપુત્ર બેઠો. પછી તે કન્યાને શોકાતુર જોઈને તેણે પૂછ્યું કે, “હે ભદ્ર! તું શોકાતુર કેમ છે?” ત્યારે તે કન્યા બોલી કે–“હે ભાગ્યશાળી! હું વિજય રાજાની પુત્રી અનંગલેખા નામે છું. એકદા હું મારા મહેલના ગોખમાં બેઠી હતી, તે વખતે મને જોઈને વિદ્યારે મારું હરણ કરી અહીં આ પુર વસાવીને મને રાખી છે. અને તે મારી સાથે લગ્ન કરવા માટે વિવાહની સામગ્રી લેવા ગયો છે. તે આજે જ અહીં આવીને મને બળાત્કારે પરણવાનો છે. પરંતુ પહેલાં મને એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે, “હે રાજપુત્રી! તારો પતિ હરિવાહના નામે રાજપુત્ર થશે તે મુનિની વાણી અન્યથા થાય છે, તેથી મારા મનમાં અતિ ખેદ થાય છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે, “હે સુંદર ભૃકુટિવાળી સ્ત્રી! તું ખેદ કરીશ નહીં.” આ પ્રમાણે કુમાર તેની સાથે વાતચીત કરે છે, તેવામાં તે વિદ્યાઘર ત્યાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002170
Book TitleUpdeshprasad Part 1
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy