SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯, તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્જ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર મહિનાનો વ. દિ. નો સમય આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ-સ્વર્ગમાંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબૂદીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે - મધરાતે - વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૫૦. પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમ કે, “હું ચવીશ' એમ તે જાણે છે. ઇત્યાદિ બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો યાવત્ “માતા સુખે સુખે તે ગર્ભને ધારણ કરે છે.' ૧૫૧. તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાનો વ.દિ. નો સમય આવ્યો ત્યારે તે પોષ વ. દિ. દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો ભાગ જોડાતો હતો તે સમયે - મધરાતે - વિશાખા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જનમ આપ્યો. અને જે રાતે પુરુષાદાનીય અરહંત પાર્થ જન્મ પામ્યા તે રાત ઘણા દેવો અને દેવીઓ વડે યાવત ઉપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી. ” - બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી યાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્થ” હો.' ૧૫ર. પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યારે પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું : “હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ યાવત્ “તે દેવો એ રીતે “જયજય' શબ્દનો પ્રયોગ કરે છે.' ૧૫૩. પુરુષાદાનીય અરહંત પાર્થને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભોગિક જ્ઞાન હતું ઇત્યાદિ તે બધું શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકોમાં – ભાગના હકદારોમાં - દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસનો વ.દિ. પક્ષ આવ્યો અને તે પોષ માસના પ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy