SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણ ૩૩ વસીય હિંસા લુપ્ત જેવી થઈ ગઈ છે. અહિંસા અને “સર્વમૂતહિતે રતઃ” સિદ્ધાંતને પૂર્ણ આગ્રહ રાખવાવાળી સાંખ્ય, યોગ, ઔપનિષદ, અવધૂત, સાત્વત વગેરે જે પરંપરાઓએ બ્રાહ્મણ પરંપરાના પ્રાણરૂપ વેદના પ્રામાણ્યો અને બ્રાહ્મણવર્ણના પુરહિતપદનો કે ગુરુપદને આત્યંતિક વિરોધ ન કર્યો, એ પરંપરાઓ ક્રમે ક્રમે બ્રાહ્મણધર્મના સર્વસંગ્રાહક ક્ષેત્રમાં એક યા બીજે રૂપે ભળી ગઈ. આથી ઊલટું, જૈન, બૌદ્ધ વગેરે જે પરંપરાઓએ વેદના પ્રામાણ્ય અને બ્રાહ્મણ વર્ણના ગુરુપદના વિરોધને આત્યંતિક આગ્રહ સેવ્યો, એ પરંપરાઓ જેકે હમેશને માટે બ્રાહ્મણધર્મથી જુદી જ રહી છે, છતાં પણ એમનાં શાસ્ત્રો તેમ જ નિવૃત્તિધર્મ ઉપર બ્રાહ્મણ પરંપરાની લકસંગ્રાહક વૃત્તિને એક કે બીજા પે પ્રભાવ જરૂર પડ્યો છે. શ્રમણ પરંપરાના પ્રવર્તકે શ્રમણ પરંપરાના મૂળ પ્રવર્તક કેણ કેણ હતા, તેઓ ક્યાં ક્યાં અને ક્યારે થયા, એનો યથાર્થ અને પૂરો ઈતિહાસ હજી સુધી અજ્ઞાત છે. પણ આપણે ઉપલબ્ધ સાહિત્યને આધારે એટલું તો નિઃશંકપણે કહી શકીએ છીએ કે નાભિપુત્ર ઋષભ તથા આદિ વિદ્વાન કપિલ, એ સામ્યધર્મના જૂના અને પ્રબળ સમર્થક હતા. એટલા માટે જ, એમને પૂરો ઈતિહાસ અંધકારગ્રસ્ત હોવા છતાં, પૌરાણિક પરંપરામાંથી એમનું નામ લુપ્ત નથી થયું. બ્રાહ્મણોનાં પુરાણમાં ઋષભનો ઉલ્લેખ ઉગ્ર તપસ્વીરૂપે છે ખરો, પણ એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તો કેવળ જૈન પરંપરામાં જ છે, જ્યારે કપિલને ઋષિરૂપે નિર્દેશ જૈન કથા-સાહિત્યમાં હોવા છતાં એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તે સાંખ્ય પરંપરામાં તથા સાંખ્યમૂલક પુરાણ ગ્રંથમાં જ છે. અષભ અને કપિલ વગેરે દ્વારા જે આત્મૌપમ્ય ભાવનાની અને એમાંથી જન્મેલ અહિંસાધર્મની પ્રતિષ્ઠા જામી હતી, એ ભાવના અને એ ધર્મની પિષક અનેક શાખા પ્રશાખાઓ હતી, જેમાંની કેઈકે બાહ્ય તપ ઉપર તે કઈકે ધ્યાન ઉપર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy