________________
જૈનધર્મને પ્રાણ
૩૧ એવું પ્રાધાન્ય સ્થિર થયું કે જેથી એ બ્રાહ્મણવર્ગ પિતાની જાતને જન્મથી જ શ્રેષ્ઠ માનવા લાગે; અને સમાજમાં પણ મોટે ભાગે એ જ માન્યતા સ્થિર થઈ, જેને આધારે વર્ગભેદની માન્યતા રૂઢ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે સમાજપુરુષનું મુખ બ્રાહ્મણ છે, અને અન્ય વણે એનાં બીજાં અંગ છે. આથી ઊલટું, શ્રમણધર્મ એમ માનતો-મનાવતું હતું કે સમાજમાં બધાંય સ્ત્રી-પુરુષે સત્કમ તેમ જ ધમપદનાં એકસરખાં અધિકારી છે. જે પ્રયત્નપૂર્વક યોગ્યતા મેળવે છે તે, વર્ગ કે લિંગભેદ વગર જ, ગુરુપદને અધિકારી બની શકે છે.
જેવી રીતે આ સામાજિક તેમ જ ધાર્મિક સમાનતાની માન્યતા બ્રાહ્મણધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ હતી, એ જ રીતે બનેની સાધ્યવિષયક માન્યતા પણ પરસ્પર વિરુદ્ધ હતી. શ્રમણધર્મ ઐહિક કે પારલૌકિક અભ્યદયને સર્વથા હેય માનીને નિઃશ્રેયસને જ એક માત્ર ઉપાદેય તરીકે માનવાવાળો હતો; અને એટલા જ માટે એ સાધ્યની જેમ સાધનના સામ્ય ઉપર પણ એટલો જ ભાર આપતો હતો. નિઃયસનાં સાધનામાં મુખ્ય અહિંસા છે. કોઈ પણ પ્રાણીની કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી, એ જ નિઃશ્રેયસનું મુખ્ય સાધન છે, જેમાં અન્ય સર્વ સાધનો સમાવેશ થઈ જાય છે. સાધનમાં રહેલી આ સામ્યદૃષ્ટિ હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ કર્મની દૃષ્ટિથી સાવ વિરુદ્ધ છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે વૈષમ્ય અને સામ્યમૂલક એટલે બધા વિરોધ છે કે જેને લીધે બને ધર્મો વચ્ચે ડગલે ને પગલે સંઘર્ષની સંભાવના રહે છે, જે હજાર વર્ષના ઈતિહાસમાં આલેખાયેલ છે. આ જૂને વિરોધ બ્રાહ્મણકાળમાં પણ હતો અને બુદ્ધ તેમ જ મહાવીરના સમયમાં તથા એ પછી પણ હતો. આ જ ચિરંતન વિરોધના પ્રવાહને મહાભાષ્યકાર પતંજલિએ પિતાની વાણીમાં વ્યક્ત કર્યો છે. વૈયાકરણ પાણિનીએ એક સૂત્રમાં શાશ્વત વિરોધનો નિર્દેશ કર્યો છે. પતંજલિ શાશ્વતી-જન્મસિદ્ધ વિરોધ ધરાવતાં સાપ-ળિયે, ગાય-વાઘ જેવાં કોનાં ઉદાહરણ આપતાં આપતાં, સાથોસાથ, બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org