________________
જૈનધર્મને પ્રાણ છે કે જે સર્વસંમત જેવા છે, અને જેમના દ્વારા શ્રમણધર્મની મૂળ દીવાલને ઓળખવાનું અને એની મારફત નિગ્રંથ કે જૈનધર્મને સમજવાનું સહેલું થઈ પડે છે.
બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ વચ્ચે નાના-મોટા અનેક વિષયમાં મૌલિક અંતર છે; પણ એ અંતરને ટૂંકમાં કહેવું હોય તે એટલું જ કહેવું બસ છે કે બ્રાહ્મણ–વૈદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે,
જ્યારે શ્રમણ પરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. આ વૈષમ્ય અને સામ્ય મુખ્યત્વે ત્રણ બાબતમાં જોવામાં આવે છે: (૧) સમાજવિષયક (૨), સાધ્યવિષયક અને (૨) જીવ-જગત તરફની દષ્ટિવિષયક. સમાજવિષયક વૈષમ્ય અર્થ એ છે કે સમાજરચનામાં તથા ધર્માધિકારમાં વર્ણનું જન્મસિદ્ધ શ્રેષપણું કે મુખ્યપણું અને બ્રાહ્મણે કરતાં બીજા વર્ણોનું ઊતરતાપણું કે ગૌણપણું. બ્રાહ્મણધર્મનું વાસ્તવિક સાધ્ય છે અભ્યદય, જે ઐહિક સમૃદ્ધિ, રાજ્ય, પુત્ર, પશુ વગેરેના જુદા જુદા પ્રકારના લાભમાં તથા ઇન્દ્રપદ, સ્વર્ગનું સુખ વગેરે જુદા જુદા પ્રકારનાં પારલૌકિક ફળની પ્રાપ્તિમાં સમાઈ જાય છે. અભ્યદયનું સાધન મુખ્યત્વે યજ્ઞધર્મ એટલે કે જુદા જુદા પ્રકારના ય છે. આ ધર્મમાં પશુ-પક્ષી વગેરેનો ભોગ અનિવાર્ય માનવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે વેદવિહિત હિંસા ધર્મનું જ નિમિત્ત છે. આ વિધાનમાં ભોગ ધરાતા નિરપરાધી પશુ-પક્ષી વગેરે તરફ સ્પષ્ટ રીતે આત્મસામ્યના અભાવની અર્થાત્ આત્મવૈષમ્યની દૃષ્ટિ રહેલી છે. આનાથી ઊલટું, ઉપરની ત્રણે બાબતોમાં શ્રમણધર્મનું સામ્ય આ રીતે છે: શ્રમધર્મ સમાજમાં કોઈ પણ વર્ણનું જન્મસિદ્ધ શ્રેષપણું ન સ્વીકારતાં ગુણ-કર્મકૃત શ્રેષપણું કે કનિષ્ટપણે માને છે. તેથી એ સમાજરચના તથા
ધમ વાસ કરતાં બી
દિ રાજ્ય
૧. તૈત્તિ૧-૧૧. શાંકરભાષ્ય (પૂના આષ્ટકર કં) પૃ. ૩૫૩. આ જ વાત યોગસૂત્ર ૨-૧૫ વગેરે તથા એના ભાષ્યમાં કહી છે. સાંખ્યતત્ત્વકૌમુદીમાં પણ એ છે, જે મૂળ કારિકાનું સ્પષ્ટીકરણ માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org