SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા [૮] બે ધર્મસંસ્થાએ ગૃહસ્થાશ્રમકેન્દ્રિત અને સંન્યાસકેન્દ્રિત આપણા દેશમાં મુખ્યપણે બે પ્રકારની ધર્મસંસ્થાઓ ચાલી આવે છે, કે જેનાં મૂળ તથાગત બુદ્ધ અને નિગ્રંથનાથ મહાવીરથી પણુ જૂનાં છે. આમાંની એકના કેન્દ્રમાં ગૃહસ્થાશ્રમ છે અને બીજીના કેન્દ્રમાં સંન્યાસ કે પરિવજ્યા છે. પહેલી સંસ્થાનું પિષણ અને સંવર્ધન મુખ્યત્વે વૈદિક બ્રાહ્મણે દ્વારા થયું છે, કે જેમનો ધર્મ વ્યવસાય ગૃહ્ય અને શ્રૌત યજ્ઞયાગાદિ તેમ જ એને અનુકૂળ સંસ્કારોને અનુલક્ષીને ચાલી રહ્યો છે. બીજી સંસ્થા શરૂમાં અને મુખ્યત્વે બ્રાહ્મણેતર એટલે કે વૈદિકતર–ખાસ કરીને કર્મકાંડી બ્રાહ્મણથી જુદા-વર્ગ દ્વારા આવિર્ભાવ પામી છે. આજે તે આપણે ચાર આશ્રમના નામથી એટલા બધા સુપરિચિત છીએ કે દરેક એમ સમજે છે કે ભારતની પ્રજા પહેલાંથી જ ચાર આશ્રમની સંસ્થાની ઉપાસક હતી. પણ ખરી રીતે એવું નથી. ગૃહસ્થાશ્રમકેન્દ્રિત અને સંન્યાસાશ્રમકેન્દ્રિત એવી બને સંસ્થાઓના પરસ્પરના સંઘર્ષ તથા આચાર-વિચારોની આપ-લેમાંથી આ ચાર આશ્રમની સંસ્થાને વિચાર અને આચાર સ્થિર થયો છે. જેઓ ગૃહસ્થાશ્રમેકેન્દ્રિત સંસ્થાને જીવનનું મુખ્ય અંગ માનતા હતા, તેઓ સંન્યાસનો કેવળ વિરોધ જ નહીં, અનાદર સુધ્ધાં કરતા હતા. બીજી બાજુ સંન્યાસકેન્દ્રિત સંસ્થાના પક્ષપાતી સંન્યાસ ઉપર એટલે બધે ભાર આપતા હતા કે જાણે એ સમાજનું જીવનસર્વસ્વ જ હોય. બ્રાહ્મણો વેદ અને વેદાશ્રિત કર્મકાંડેને આધારે જીવન વ્યતીત કરતા રહ્યા, જે ગૃહસ્થ દ્વારા ગૃહસ્થાશ્રમમાં જ સંભવિત છે. તેથી તેઓ ગૃહસ્થાશ્રમની પ્રધાનતા, ગુણવત્તા તેમ જ સર્વોપયોગિતા ઉપર ભાર દેતા આવ્યા. જેમને માટે વેદાશ્રિત કર્મ કાંડેને જીવનમાર્ગ સીધી રીતે ઉઘાડે ન હતું અને જેઓ વિદ્યારુચિ અને ધમરુચિ ધરાવતા હતા, એમણે ધર્મજીવનનાં બીજા કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy