________________
પૂર્વભૂમિકા મળી આવે છે અને તે જ તે તે ધમપંથને દેહ છે. હવે જોવું રહ્યું કે ધર્મને આત્મા, એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક-વિનય આદિ સદ્ગણે, તે ધર્મને આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હોય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે, અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહમાં જીવન પોષે છે, જીવન વહાવે છે.
[ અચિં૦ ભાટ ૧, પૃ૦ ૧૨૨]
ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તત્ત્વોની દેરવણું નીચે ઘડાતે જીવનવ્યવહાર. આ જ ધમ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડે, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને એટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તે ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે.
[ અચિં- ભા. ૧, ૫૦ ૨૮ ]
ધર્મનાં બે સ્વરૂપ છે : પહેલું તાત્વિક, જેમાં સામાન્યતઃ કોઈનો મતભેદ નથી તે સદ્ગણાત્મકબીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદે અનિવાર્ય છે તે બાહ્યપ્રવૃત્તિરૂપ. જેઓ તાત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org