SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ભૂમિકા વૃત્તિને પ્રાવાહિક કે ઔધિક [ પ્રવાહથી ચાલી આવતી કે એધ-સંજ્ઞાથી માની લીધેલી ] કહી શકીએ છીએ. પણ એ વૃત્તિ જ ધખીજા આધાર છે, એમાં જરાય શક નથી. આ ધખીજનું સામાન્ય અને સક્ષિપ્ત રૂપ એ જ છે કે વ્યક્તિગત તેમ જ સામુયિક જીવનને માટે જે અનુકૂળ હોય તે કરવું અને જે પ્રતિકૂળ હોય એને ટાળવું કે એનાથી બચવું. [દઔચિ'॰ ખ' ૧, પૃ૦ ૩-૫] [૪] ધમ'નું ધ્યેય ધનું ધ્યેય શું હોવું જોઈ એ ? કઈ વસ્તુને ધર્માંના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય ? આના જવાબ એ કે દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી, એ જ ધર્માંનું ધ્યેય મનાવું જોઈએ. જો ઉક્ત તત્ત્વાને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તે પ્રજાજીવન સમગ્રપણે પલટા ખાય. Jain Education International [દઅચિ’• ભા॰ ૧, ૫૦ ૬૪ ] [૫] ધમ: વિશ્વની સપત્તિ આધ્યાત્મિક ધર્મ એ કાઈ એક વ્યક્તિના જીવનમાંથી નાનામોટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને પ્લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણુ ગમે તેટલું હાય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પેાતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy