________________
જૈનધર્મોના પ્રાણ
૨૩૮
થઈ તપાસી ન લે, શેાધી ન લે, પોતે વિચાર અને વનમાં સ્થિર ન થાય, પોતે પોતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દેરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કાઈની દારવણી કરવાની હોય તા પહેલાં એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં પેાતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લેાકેાથી અલગપણું, કાઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણુ, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમા—એ બધું યાજાયેલું હતું.
સ્થાનાંતર અને લેાકાપકાર
એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પાકયા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી, કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તે હતી છતાં અંતર્દષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતદૃષ્ટિ નહિવત્ અથવા તદ્ન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ હા, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણાના વિસ્તાર થતા ગયા અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલા, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણુ લાકવસતિમાં આવતા ગયા. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લાકસંસગ નિત કેટલાક દાષા સ્વીકાર્યા હાય, તેા તેની સાથે જ તે સંસ્થાએ લેાકેામાં કેટલાક પોતાના ખાસ ગુણો પણ દાખલ કર્યાં છે, અને તેમ કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં છે. જે કેટલાક ત્યાગીઓ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org