________________
જૈનધમ ના પ્રાણ
૨૦૬
પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હાઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હાઈ તે ધમ પણ છે. અનેકાંતનુ જીવિતપણું એમાં છે કે તે જેમ ખીજા વિષયાને બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પાતાના સ્વરૂપ અને વિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલુ વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું અળ કે જીવન.
,
[દૃઅચિ’૦ ભા॰ ૨, પૃ. ૮૭૩] કોઈ પણ વિશિષ્ટ દર્શન હોય કે ધર્મ-પંથ હોય, એના આધારરૂપ —એના મૂળ પ્રવ`ક પુરુષની—એક ખાસ દૃષ્ટિ હોય છે, જેમ કે શંકરાચાર્યની પોતાના મતનિરૂપણમાં ‘અદ્વૈતદૃષ્ટિ અને ભગવાન બુદ્ધની પોતાના ધર્માં-પથ-પ્રવતનમાં ‘મધ્યમપ્રતિપદાદષ્ટિ ' એ ખાસ દૃષ્ટિએ છે. જૈન દર્શન ભારતીય દર્શનમાં એક વિશિષ્ટ દર્શન છે; સાથે સાથે વિશિષ્ટ ધર્મ-પથ પણ છે; તેથી એના પ્રવર્તક અને પ્રચારક મુખ્ય પુરુષોની એક ખાસ દૃષ્ટિ એના મૂળમાં હેવી જ જોઈએ, અને એ છે પણ ખરી. આ દૃષ્ટિ જ અનેકાંતવાદ છે. જૈન તત્ત્વવિચાર હોય કે આચાર-વ્યવહાર હાય, ગમે તે હાય, એ અય અનેકાંતદૃષ્ટિને આધારે યોજવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે અનેક પ્રકારના વિચારેા અને આચારામાંથી જૈન વિચાર અને જૈન આચાર શું છે? એ કેવા હોઈ શકે?—એ નક્કી કરવાની અને એની આકારણી કરવાની એકમાત્ર કસેાટી પણ અનેકાંતદૃષ્ટિ જ છે. [દૃઔચિ॰ ખં૰ર, પૃ૦ ૧૪૯]
અન્ય દેનામાં દેખાતી અનેકાંતષ્ઠિ
આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધ પેાતાને વિભજ્યવાદી કહે છે. જૈન આગમામાં મહાવીરને પણ વિભજ્યવાદી કહ્યા છે.ૐ વિભ
૧. મશ્ર્ચિમનિકાચ સુ॰ ૯૯, ૨. સૂત્રકૃતાંગ ૧-૧૪-૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org