________________
२०
સમા, અનેક ઉમંગથી ભરેલા ભાઈના ૩૬ વર્ષની ભરયુવાનવયે અકાળ સ્વર્ગવાસ એ અમારા કુટુંબને માટે વજ્રપાત કે હોનારત જેવી કારમી ઘટના હતી! પણ આ માટે વિધાતાનેા શે વાંક કાઢીએ ? અમારાં ભાગ્ય જ એવાં નબળાં કે જેના અહી ખપ હતા એને બીજી દુનિયાને પણ ખપ પડથો !
ભાઈ જગમાહનદાસની ખોટ અમારા કુટુંબને માટે તે। કદી ન પૂરી શકાય એવી મેટી છે; પણ એમણે સહૃદયતા અને માનવતાની ભાવનાથી પ્રેરાઈ ને સામાન્ય જનતાની જે કાંઈ થેાડી-ધણી સેવા બજાવી હતી, એને લીધે એમની ખેાટ એક સામાજિક ખેાટ પણ બની ગઈ છે !
એમને અંજલિ આપવાને રામગંજમંડીના નાગરિકાએ શાકસભા ભરી હતી, અને પોતાના આવા એક હિતચિંતકને કેવળ શબ્દોથી અંજલિ આપીને સંતોષ નહીં માનતાં એમના સ્મરણ નિમિત્તે સારી એવી રકમ ભેગી કરીને, શ્રી કારા માલમદિરની સ્થાપના કરી હતી. આમાં વધારે નોંધપાત્ર બીના ! એ છેકે આ કાર્યની શુભ શરૂઆત કંપનીના મજૂરાએ પોતાની આવકના દસ ટકા એ ફાળામાં આપીને કરી હતી. પ્રભુને પ્યારાં એવાં નાનાં બાળકાની કેળવણીની આ સંસ્થા ભાઈ શ્રી જગમેાડનદાસે પ્રાપ્ત કરેલ સદ્ભાવ અને લેાકચાહનાનુ સ્મારક બની રહેશે.
આ દુઃખદ ઘટના અમારા માટે પ્રેરક બની; અને બંધુસ્મરણથી કેવળ હંમેશાં દુ:ખી થવાને બદલે એમના સ્મરણ નિમિત્તે શ્રી જગમેાહનદાસ કારા સ્મારક પુસ્તકમાળાને આ નાના સરખા સ્મૃતિદીપ પ્રગટાવવાની અમને ભાવના થઈ,
સ્વવાસી અને આ સ્મૃતિદીપ અમને વધુ ને વધુ સત્કાર્ય ના પ્રેરક અને એ જ પ્રાર્થના !
કાંતિલાલ કારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org