SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈનધર્મનો પ્રાણ જોઈએ. પ્રશ્ન : નિશ્ચય અને વ્યવહારદષ્ટિએ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુનું સ્વરૂપ કેવું હોય છે? - ઉત્તર : નિશ્રયદષ્ટિએ ત્રણેનું સ્વરૂપ એક જેવું હોય છે. ત્રણેમાં મેક્ષમાર્ગની આરાધનની તત્પરતા અને બાહ્ય-આત્યંતર નિગ્રંથપણું વગેરે નિશ્ચયદૃષ્ટિનું અને પારમાર્થિક સ્વરૂપ સરખું હોય છે, પણ ત્રણેના વ્યાવહારિક સ્વરૂપમાં ડેઘણે ફેર હોય છે. આચાર્યની વ્યાવહારિક યોગ્યતા સૌથી વધારે હોય છે, કેમ કે એમને ગ૭ ઉપર શાસન ચલાવવાની અને જૈન શાસનને મહિમા સાચવી રાખવાની જવાબદારી ઉઠાવવી પડે છે. ઉપાધ્યાયને આચાર્યપદની લાયકાત મેળવવા માટે કંઈક વિશેષ ગુણ મેળવવા પડે છે, જે સામાન્ય સાધુએમાં ન પણ હોય. નમસ્કારને હેતુ અને એના પ્રકાર પ્રશ્ન : પરમેષ્ઠીઓને નમસ્કાર શા માટે કરવામાં આવે છે? નમસ્કારના પ્રકાર કેટલા ? ઉત્તર : ગુણપ્રાપ્તિને માટે. તેઓ ગુણવાન છે અને ગુણવાનેને નમસ્કાર કરવાથી ગુણની પ્રાપ્તિ જરૂર થાય છે, કારણ કે જેવું ધ્યેય હોય એવો જ ધ્યાતા બની જાય છે. દિવસ-રાત ચેર અને ચેરીની ભાવના ભાવવાવાળો માનવી ક્યારેય પ્રામાણિક (શાહુકાર) બની નથી શકતો. એ જ રીતે વિદ્યા અને વિદ્વાનની ભાવના ભાવવાવાળે જરૂર કંઈક ને કંઈક વિદ્યા હાંસલ કરી જ લે છે. મોટાઓ પાસે આપણી લઘુતા અને એમની મોટાઈ પ્રગટ થાય એવું વર્તન કરવું એનું નામ જ નમસ્કાર છે. આ નમસ્કાર દૈત અને અદ્વૈત એમ બે પ્રકારના હોય છે. વિશેષ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત ન થઈ હોય અને નમસ્કાર કરનારના મનમાં એવો ભાવ હોય કે હું ઉપાસક છું અને અમુક વ્યક્તિ મારી ઉપાસ્ય છે, એને દૈત-નમસ્કાર કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy