________________
આવશ્યક ક્રિયા
રંજક છે. “પ્રતિક્રમણને અર્થ છે પાછા ફરવું: એક સ્થિતિમાં જઈને વળી પાછી મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી એ “પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણના (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક–એ પાંચ ભેદ બહુ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે, કારણ કે એને ઉલ્લેખ શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ કર્યો છે. કાળભેદે ત્રણ પ્રકારનું પ્રતિક્રમણ પણ કહ્યું છે: (૧) ભૂતકાળમાં લાગેલ દેની આલેચના કરવી, (૨) સંવર કરીને વર્તન માનકાળના દોષોથી બચવું અને (૩) પચ્ચખાણ કરીને ભવિષ્યકાળના દોષોને રોકવા, એ પણ પ્રતિક્રમણ છે.
ઉત્તરોત્તર આત્માના વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપમાં રહેવાની ભાવનાવાળા અધિકારીઓએ એ પણ જાણવું જોઈએ કે પ્રતિક્રમણ કોનું કેનું કરવું જોઈએ ? . (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) અપ્રશસ્ત યોગ, એ ચારનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અર્થાત મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યક્ત્વ મેળવવું જોઈએ, અવિરતિનો ત્યાગ કરીને વિરતિને સ્વીકાર કરવો જોઈએ; કષાયોને દૂર કરીને ક્ષમા વગેરે ગુણો પ્રાપ્ત કરવા જોઈએ; અને સંસારની વૃદ્ધિ કરનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિને તજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ.
સામાન્ય રીતે પ્રતિક્રમણ (૧) દ્રવ્ય અને (૨) ભાવ, એવા બે પ્રકારનું છે. ભાવપ્રતિક્રમણ જ ઉપાદેય છે, દ્રવ્ય પ્રતિક્રમણ નહીં. દ્રવ્યપ્રતિક્રમણ એ છે, જે દેખાવને માટે કરવામાં આવે છે. દેષોનું પ્રતિક્રમણ કર્યા પછી પણ, ફરી એ દોષનું વારંવાર સેવન કરવું, એ દ્રવ્યપ્રતિક્રમણ છે. આથી આત્મા શુદ્ધ થવાને બદલે પૂછતાને લીધે દોષોનું વધારે પિષણ થાય છે. આવા દ્રવ્યપ્રતિક્રમણ માટે, કાંકરા મારી
૧. આવશ્યકનિર્યુક્તિ ગાય ૧૨૪૨. ૨. એજન ગા૦ ૧૨૪૭. ૩. આવશ્યકવૃત્તિ ૫૦ ૫૫૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org