SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ પ્રાચય વિચાર ૧૫૯ (૩) પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને આંશિક ભંગ મનાય, અર્થાત્ જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યાજ્ય માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજો દેષ ગણાય છે. (૪) અનાચાર એટલે પ્રતિજ્ઞાને સર્વથા નાશ. એ મહાદોષ છે. શાસ્ત્રકાર કહે છે કે ગૃહસ્થના શીલના પાંચ અતિચાર છે : (૧) ત્તરપરિંગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અન’ગક્રીડા, (૪) પરવિવાહકરણ, (૫) કામભોગામાં તીવ્ર અભિલાષ. આ પાંચે પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસ ંતોષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે. કાઈ પણ ગૃહસ્થ સ્વદારસ ંતોષને પૂરેપૂરે! વફાદાર રહે તે એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા અહિંસા, સત્ય, અસ્તેય વગેરે મહાત્રતા સાપવાદ છે, પરંતુ માત્ર એક બ્રહ્મચય જ નિરપવાદ છે. અહિંસા વ્રત સાપવાદ છે એટલે સર્વ પ્રકારે અહિંસાના પાલક કાઈ ખાસ વિશિષ્ટ લાભના ઉદ્દેશથી હિંસાની પ્રવૃત્તિમાં ઊતરે છતાં તેના વ્રતનો ભંગ નથી મનાતા. કેટલાક તે પ્રસંગેા જ એવા છે કે જેને લઈને એ અહિંસક હિસા ન જ કરે યા હિંસામાં પ્રવૃત્ત ન જ થાય તો તેને વિરાધક પણ માનેલા છે. વિરાધક એટલે જૈન આનાના લેાપક. આવી જ સ્થિતિ સત્યવ્રત અને અસ્તેયાદિ વ્રતમાં પણ ઘટાવવાની છે. પણ બ્રહ્મચર્યમાં તે આવે! એક પણ અપવાદ નથી. જેણે જે જાતનું બ્રહ્મચર્યાં સ્વીકાયુ" હોય તેણે વિના અપવાદે તેવું ને તેવું જ આચરવાનું છે. ખીજાના આધ્યાત્મિક હિતની દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહિંસાદિને અપવાદ કરનારા તટસ્થ યા વીતરાગ રહી શકે છે; બ્રહ્મચર્યના અપ૧. તિલકાચા કૃત જીતકલ્પવ્રુત્તિ પૃ૦ ૩૫-૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy