________________
૧૫ર.
જૈનધર્મને પ્રાણ સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારને અદ્ભુત વૈર્ય અર્પે છે.
બ્રહ્મચારિણું શ્રાવિકા થયા પછી કોશા વેશ્યાએ પિતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એક ગુરુભાઈ ને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત નેંધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે.
પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલો વિજ્ય શેઠ અને વિજયા શેઠાણુનો છે. એ બન્ને દમ્પતી પરણ્યાં ત્યારથી જ એકશયનશાયી છતાં પિતાપિતાની, શુકલ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદી જુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષણી ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાનો જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા એજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે. ૩. બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ
જૈન પરંપરામાં ચાર અને પાંચ યાના (મહાવ્રતોના) અનેક ઉલ્લેખ મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણન ૨ ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામો (મહાત્રતા) નો પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક
૧. જુઓ બૌદ્ધ સંઘનો પરિચય પૃ૦ ૧૯૦ તથા ૨૭૪. ૨. સ્થાનાંગસૂત્ર ૫૦ ૨૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org