________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
૧૫૧
તેમ જ કરેલું. આદ્રકુમાર નામને રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ વીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે અને છેવટે એકવાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રી સુધ ગુરુ પાસેથી વર્તમાન જૈનાગોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી જંબૂ નામક વૈશ્યકુમારે પરણવાને દિવસે જ પિતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં જ સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પોતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વેશ્યાના પ્રભક હાવભાવો અને રસપૂર્ણ ભોજન છતાં, તેમ જ તેને જ ઘેર એકાન્તવાસ છતાં, નન્દમસ્ત્રી સકડાળના પુત્ર સ્થૂલભલે પિતાના બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને તેને પ્રભાવે એ કેશાને પાકી બ્રહ્મચારિણી બનાવી.
જેનોના પરમપૂજ્ય તીર્થકરોમાં સ્થાન પામેલ મલ્લિ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પિતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારોને મામિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પિતાના અનુયાયી બનાવી ગુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાત જેમાં ખૂબ જાણીતી છે.
બાવીસમા તીર્થંકર નેમિનાથે ચોરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાન્તમાં પિતાના સૌન્દર્યને જેઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે મામિક ઉપદેશ આપ્યો છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે સ્ત્રી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આપને દૂર કરી ધીર સાધકેમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે
થતા જ ઉપદેશ
તિ ઉપર એક વિશિષ્ટ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org