SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ ~~~~ ~~~ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૧૪૯ લખવા ધાર્યું છે. તે મુદ્દાઓ આ પ્રમાણે (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રીપુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાય. (૪) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના અતિચારે. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. ૧. વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપકૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ– જૈન પરિભાષામાં કહીએ તો આસવનિરોધને જ–સમાવેશ નથી થતું, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક સત્તિઓના વિકાસને સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લેકમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમને માત્ર એક અંશ જ છે, તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત્ કામસંગને -કામાચાર–અબ્રહ્મનો ત્યાગ; આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલે બધો પ્રસિદ્ધ થઈ ગયા છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જણ તેનો અર્થ સામાન્ય રીતે એટલે જ સમજે છે કે મૈથુન- ” સેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશોમાં ગમે તે અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટે રહેનાર હોય તે ૧. સૂત્રકૃતાંગસૂત્ર સૂટ ૨, અપ, ગા. ૧તત્વાર્થભાષ્ય અ૦ ૯, સૂ૦ ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy