________________
જૈનધર્મોના પ્રાણ
૧૪૮
રૂપ શીલનું વિધાન કરે છે; પણ ચેતના અને પુરુષાર્થ એવાં નથી કે તે માત્ર અમુક દિશામાં ન જવારૂપ નિવૃત્તિ માત્રથી નિષ્ક્રિય થઈ પડયાં રહે. તે તેા પેાતાના વિકાસની ભૂખ ભાંગવા ગતિની દિશા શાધ્યા જ કરે છે. આ કારણથી જૈનધર્મે નિવૃત્તિની સાથે જ શુદ્ધ પ્રવૃત્તિ (વિહિતઆચરણરૂપ ચારિત્ર)નાં વિધાને પણ ગાઠવ્યાં છે. તેણે કહ્યું છે કે મલિન વૃત્તિથી આત્માને ઘાત ન થવા દેવા અને તેના રક્ષણમાં જ (સ્વદયામાં જ) બુદ્ધિ અને પુરુષાર્થના ઉપયોગ કરવા. પ્રવૃત્તિના એ વિધાનમાંથી જ સત્યભાષણ, બ્રહ્મચર્ય, સતેષ આદિ વિધિમાર્ગો જન્મે છે. આટલા વિવેચન ઉપરથી એ જણાશે કે જૈન દૃષ્ટિ પ્રમાણે કામાચારથી નિવૃત્તિ મેળવવી એ અહિંસાને માત્ર એક અંશ છે અને તે અંશનું પાલન થતાં જ તેમાંથી બ્રહ્મચર્યને વિધિમાગ નીકળી આવે છે. કામાચારથી નિવૃત્તિ એ ખીજ છે અને બ્રહ્મચર્ય એ તેનુ પરિણામ છે. ભગવાન મહાવીરને ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મના પ્રચાર છે, તેથી તેમના ઉદ્દેશમાં જાતિનિર્માણ, સમાજસંગઠન, આશ્રમવ્યવસ્થા આદિને સ્થાન નથી. લાકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમ જ તે દ્વારા મેક્ષ સાથે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધા છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમને કે લગ્નસંસ્થાને વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતાનાં વિધાને પણ જૈનગમેામાં નથી.
કેટલાક મુદ્દાઓ
જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હેાવાથી અને તેમાં ઓછાવત્તા પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્ય ને વગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્ય ને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org