________________
૧૩૮
જૈનધર્મને પ્રાણ આધ્યાત્મિક સુખ કે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત નથી થતાં. બુદ્ધની આ દૃષ્ટિની આપણે નિગ્રંથ પરંપરાની દૃષ્ટિ સાથે સરખામણી કરીએ તે કહેવું પડે કે નિગ્રંથ પરંપરાની દ્રષ્ટિ અને મહાવીરની દૃષ્ટિ વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી. કારણ કે ખુદ મહાવીર અને એમનો ઉપદેશ માનવાવાળી સમગ્ર નિગ્રંથ પરંપરાનું સાહિત્ય, એ બન્ને એકીઅવાજે એમ જ કહે છે કે દેહદમન કે કાયકલેશ ગમે તેટલું ઉગ્ર કેમ ન હેય, પણ જે એનો ઉપયોગ આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તલેશના નિવારણ માટે ન થાય તે એ દેહદમન અને કાયકલેશ નકામાં છે. આને અર્થ તો એમ જ થયો કે નિથ પરંપરા પણ દેહદમન અને કાયકલેશને ત્યારે જ સાર્થક માને છે, કે જ્યાં લગી એને સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે હોય. તે પછી સહેજે સવાલ થાય છે કે બુદ્દે એનું ખંડન કેમ કર્યું ? આનો ખુલાસો બુદ્ધના જીવનના વલણ તેમ જ એમના ઉપદેશોમાંથી મળી રહે છે. બુદ્ધનો સ્વભાવ વિશેષ પરિવર્તનશીલ અને વિશેષ તર્કશીલ હતો. જ્યારે એમનો સ્વભાવ ઉગ્ર દેહદમનથી સંતુષ્ટ ન થયો ત્યારે એમણે એને એક અન્ત-છેડે. કહીને એનો ત્યાગ કર્યો, અને ધ્યાનમાર્ગ, નૈતિક જીવન તથા પ્રજ્ઞા ઉપર જ વિશેષ ભાર આપે. એમને એ માર્ગે જ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થયું અને એમણે એ તત્ત્વના આધારે પિતાનો નવો સંધ સ્થા.
નવો સંઘ સ્થાપનારને માટે એ જરૂરી થઈ પડે છે કે એ આચારવિચાર સંબંધી પિતાના નવા વલણને વધારેમાં વધારે લેકગ્રાહ્ય બનાવવા માટે પ્રયત્ન કરે, અને પૂર્વકાલીન તેમ જ સમકાલીન અન્ય સંપ્રદાયોનાં મંતવ્યની આકરી સમાલોચના કરે; આમ કર્યો વગર કોઈ ન તે પિતાના નવા સંઘમાં અનુયાયીઓને ભેગા કરી શકે છે કે ન તો ભેગા થયેલા અનુયાયીઓને ટકાવી શકે છે. બુદ્ધના નવા સંઘની હરીફ અનેક પરંપરાઓ મોજૂદ હતી કે જેના ઉપર નિગ્રંથ
૧. મઝિમનિકાચ સુત્ર ર. અકોસંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી)૨. દશવૈકાલિક ૯, ૪-૪. ભગવતી ૩–૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org