________________
અહિંસા
૧૨૫
કઈ પણ વિચારવા
આટાની
પ્રથા
ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગોશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારે ગા રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા છે કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકાર અને દેવીના ભોગે બંધ કરાવવાની પ્રથા–એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. માણસજાતની સેવા માટેની પ્રવૃત્તિ
અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજાં જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થાએ પિતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ર જીવો માટે કરોડો રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હોય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણાં દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરે થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરક્કી લેકની વૃત્તિનો પુરાવો છે. અપંગે, અનાથે અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી છૂટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકચિનો પડઘે છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org