SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૧૧૭ અક્ષર મીમાંસા અને સ્મૃતિમાંની અહિંસા સંબંધી ઉત્સગ અપવાદની વિચારસરણી સાથે મળતી આવે છે. એમાં ફેર હોય તો એ જ છે કે જ્યાં જૈન વિચારસરણી સાધુ કે પૂર્ણ ત્યાગીના જીવનને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત થઈ છે, ત્યાં મીમાંસા અને સ્માર્તોની વિચારસરણી ગૃહસ્થ અને ત્યાગી બધાયનાં જીવનને કેન્દ્રમાં રાખીને પ્રચલિત થઈ છે. બન્ને વચ્ચેનું સામ્ય આ રીતે છે ઃ જૈન ૧. સબૈ વાળા ન દંતવા 1 ૨. સાધુજીવનની અશકયતાના પ્રા. ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હંસા દોષને અભાવ; અર્થાત નિષિદ્ધ આચરણમાં જ હિંસા. વૈદિક ૧. મા હિંદ્યાત્ સર્વમૂતાનિ । ૨. ચારે આશ્રમેાના બધાય પ્રકારના અધિકારીઓના જીવનની તથા એને લગતાં કવ્યાની અશકયતાને પ્રશ્ન. Jain Education International ૩. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાદોષને અભાવ; અર્થાત્ નિષિદ્ધ આચાર જ હિંસા છે. ( અહી એ ધ્યાનમાં રાખવું કે જૈન તત્ત્વન શાસ્ત્ર શબ્દથી જૈન શાસ્ત્રને—ખાસ કરી સાધુજીવનના વિધિનિષેધાતુ પ્રતિપાદન કરતા શાસ્ત્રને—જ લે છે; જ્યારે વૈશ્વિક તત્ત્વચિંતક ‘ શાસ્ત્ર' શબ્દથી એ બધાંય શાસ્રોતે લે છે કે જેમાં વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય વગેરે બધાંય કબ્યાનું વિધાન હોય. ૪. છેવટે અહિ'સાના મમ જિતની ૪. છેવટે અહિંસાનું તાત્પ આજ્ઞાના–જૈનશાસ્ત્રના યથાવત્ વેદ તથા સ્મૃતિઓની અનુસરણમાં જ છે. આજ્ઞાના પાલનમાં જ છે. [દઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૪૧૨-૪૧૭] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy