SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા અહિંસાના સિદ્ધાંત આય` પર’પરામાં ધણા પ્રાચીન છે. અને એને આદર પણ બધી આ શાખાઓમાં એકસરખા થતા રહ્યો છે. આમ છતાં પ્રજાજીવનના વિસ્તાર અને જુદી જુદી ધામિઁક પરંપરાઆના વિકાસની સાથે સાથે એ સિદ્ધાંત સબંધી વિચાર તથા -વ્યવહારમાં પણ અનેકમુખી વિકાસ થયેલા જોવાય છે. અદ્ઘિ સા સબંધી વિચારના મુખ્ય બે ઝરણાં, પ્રાચીન કાળથી જ, આ પરપરામાં વહેતાં થયાં હાય એમ લાગે છે. એક ઝરણું મુખ્યત્વે શ્રમણ્ જીવનના આધારે વહેતું થયું; જ્યારે ખીજું ઝરણું બ્રાહ્મણ પરપરા– ચતુર્વિધ આશ્રમ-ના જીવનવિચારને આધારે પ્રવાહિત થયું. અહિંસાના તાત્ત્વિક વિચારની દૃષ્ટિએ આ બન્ને ઝરણાંઓ વચ્ચે કાઈ મતભેદ જોવામાં નથી આવતા, પરંતુ વ્યાવહારિક બાજી કે જીવનમાં એના ઉપયેાગની દૃષ્ટિએ કેવળ એ બન્ને ઝરણાંઓમાં જ નહીં, બલ્કે પ્રત્યેક શ્રમણ તેમ જ બ્રાહ્મણ ઝરણાની નાની-મેટી અવાંતર શાખામાં પણ અનેક પ્રકારના મતભેદ કે અંદરઅંદરના વિરેધ જોવામાં આવે છે. એનું મુખ્ય કારણ જીવનદૃષ્ટિને ભેદ છે. શ્રમણ પર પરાની જીવનદૃષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત અને આધ્યાત્મિક છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાની જીવનદૃષ્ટિ મુખ્યત્વે સામાજિક કે લેાકસંગ્રાહક છે. પહેલીમાં લાકસંગ્રહ એટલે અંશે જ ઇષ્ટ છે કે જ્યાં સુધી એ આધ્યાત્મિકતાને વિરાધી ન હેાય; જ્યાં એને આધ્યાત્મિકતા સાથે વિરાધ દેખાવા લાગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy