________________
૧૦૪
જૈનધર્મને પ્રાણ
જાય છે, જેને લીધે આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી.
(૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અલ્પાંશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે તે દેશવિરતિ. આમાં ચારિત્રમોહનીયની સત્તા અવશ્ય ઘટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે.
(૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે, છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (ખલન) સંભવે છે, તે પ્રમસંયત.
(૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્તસંયત.
(૮) જે અવસ્થામાં પહેલાં ક્યારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ—આત્મિક સામર્થ્ય– પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિનાદર પણ છે.
(૯) જે અવસ્થામાં ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલ અંશેને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિ બાદર.
(૧૦) જે અવસ્થામાં મોહનીયનો અંશ લેભરૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસંપરાય.
(૧૧) જે અવસ્થામાં સૂક્ષ્મ લેભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપશાંતમોહનીય. આ ગુણસ્થાનમાં દર્શન મેહનીયને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમોહનીયને તે ક્ષય નથી હોત, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહને ફરી ઉકેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે.
(૧૨) જે અવસ્થામાં દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયને સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણમેહનીય. આ સ્થિતિથી પતન સંભવતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org