________________
જૈન તત્ત્વજ્ઞાન
અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પિતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત્ત, પૂર્વ અને પશ્ચિમીય તત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે છેડે તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એને સંબંધ જોડાતાં એમાં જીવનશૈધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનધનની મીમાંસા ખાસ ભાગ ભજવે
છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આય તત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે. કારણ કે આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય, પણ તેથી ઊલટું આપણે એમ જોઈએ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પિતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષનો ઉદ્દેશ અને અંતમાં તેનો જ ઉપસંહાર જઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પિતાનો વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે યોગદર્શનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ યેગના મૂળ સિદ્ધાંતો છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ વેગપ્રક્રિયાઓ ખાસ સ્થાન કર્યું છે. એ જ રીતે જૈન દર્શન પણ ગપ્રક્રિયા વિશે પૂરા વિચારો દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org