________________
જૈનધર્મને પ્રાણ
ઉત્પન્ન થયું હશે? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પિતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કોઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તે શું આ વિશ્વ એમ જ હતું અને છે? જે તેનાં કારણે હોય તે તે પિતે પરિવર્તન વિનાનાં શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણે કોઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જે હશે? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલન અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હેવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હેવી જોઈએ ? જે બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તે તે કેની બુદ્ધિને આભારી છે? શું એ બુદ્ધિમાન તત્ત્વ પિતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે? - ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વને ઉપભેગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે વિચાર કરે છે તે તત્વ શું છે? શું એ અહંરૂપ ભાસતું તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તત્તવો વસ્તુતઃ જુદાં જ છે કે કેઈએક મૂળ તત્વની નિર્મિતિઓ છે ? આ બધાં સજીવ ત ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાનો કે કાળની દૃષ્ટિએ અંત રહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તો ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે ?
આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોનો કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકેએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org