SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ બાબતે એટલા માટે ખની ગઈ કે અનુયાયીઓની રક્ષા કરવી હતી કે આવીને એમાં સામેલ થતા હતા, આચાર-વિચારાથી પોતાની જાતને બચાવી શકતા ન હતા. જે જૈનધમ ના પ્રાણ જૈન સસ્કૃતિને એવા સાધારણ ખીજા વિરાધી સંપ્રદાયામાંથી અથવા જે ખીજા સંપ્રદાયના હવે આપણે ટૂંકમાં એ પણ જોઈશું કે ખીજાઓ ઉપર જૈન સંસ્કૃતિની ખાસ અસર શી પડી? જૈન સંસ્કૃતિને બીજાએ ઉપર પ્રભાવ આમ તે સિદ્ધાંતરૂપે સર્વભૂતયાને બધાય માને છે, પણ પ્રાણીરક્ષા ઉપર જેટલો ભાર જૈન સંસ્કૃતિએ આપ્યા છે, જેટલી ધગશથી એણે એ માટે કામ કર્યું` છે, એનું પરિણામ સમગ્ર દ્ધતિહાસયુગમાં એ આવ્યું કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જૈનાના એક કે ખીજા ક્ષેત્ર ઉપર પ્રભાવ પડ્યો, ત્યાં ત્યાં સઘળે આમજનતા ઉપર પ્રાણીરક્ષાના પ્રબળ સંસ્કાર પડયો; તે એટલે સુધી કે ભારતના અનેક ભાગામાં પેાતાને અજૈન કહેનારા તથા જૈનિવરેાધી માનનારા સાધારણ લેક પણ જીવમાત્રની હિંસા પ્રત્યે અણગમા સેવવા લાગ્યા. અહિંસાના આ સામાન્ય સંસ્કારને લીધે જ વૈષ્ણવ વગેરે અનેક જૈનેતર પરંપરાઓના આચાર-વિચાર પ્રાચીન વૈદિક પર પરાથી સાવ જુદા થઈ ગયા છે. તપસ્યાના સબંધમાં પણ એમ જ થયું. ત્યાગી હાય કે ગૃહસ્થ, બધાય જૈનેા તપસ્યા તરફ ખૂબ વધારે ઝૂકે છે. આના પ્રભાવ પાડેાસી સમાળે ઉપર એટલા બધા પડ્યો કે એમણે પણ એક કે બીજે રૂપે અનેક પ્રકારની સાત્ત્વિક તપસ્યાએ અપનાવી લીધી. અને સામાન્ય રીતે સાધારણ જનતા જૈનેાની તપસ્યા તરફ આદરભાવ ધરાવતી રહે છે; તે એટલે સુધી કે મુસલમાન સમ્રાટ તથા ખીજા સમર્થ અધિકારીઓએ તપસ્યાથી આકર્ષાઈ ને અનેકવાર જૈન સંપ્રદાયનું કેવળ બહુમાન જ નથી કર્યું, બલ્કે એને અનેક સવલતા પણ આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy