SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીષ્ણાંતસુધારસ: એકત્વ સ્થાયી છે અને એને સાક્ષાત્કાર થતાં એમાંથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે. અન્યત્વ–પિતાના આત્મતત્વ સિવાયની સર્વ પદગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા છે. સ્વ અને પરને યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચક્રની ગૂંચવણેને નિકાલ થાય છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા છે. આખરે પર એ પર છે. અશુચિ–જે શરીરને પિતાનું માન્યું છે તે અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. એમાં માંસ, લેહી, ચરબી, હાડકાં વિગેરે ભરેલાં છે. એનું રૂપ જોઈને લલચાવાનું નથી, એમાં રાચવા જેવું કાંઈ નથી. એની ચામડીને ઉથલાવી અંદરનું બહાર કાઢ્યું હોય તે તે પર થુંકવું પણ ગમે તેમ નથી. આશ્રવ–કર્મ અને આત્માને સંબંધ કેવી રીતે થાય છે, તેના હેતુ કયા કયા છે, એ કર્મ આવવાના માર્ગો કયા કયા છે, એ આવીને કેવી પરિસ્થિતિ નીપજાવે છે અને આત્માને શુદ્ધ દશામાંથી કયાં ઘસડી જાય છે, એ આ કર્મને આય વિભાગ વિચારવા ચગ્ય છે. સંવર–એ કર્મોને આવતાં અટકાવવાના રસ્તા છે. એ રસ્તાઓને ઓળખવાની જરૂર છે. એને ઓળખી એ દ્વારા આવતાં કર્મો બંધ થાય તે જ કર્મસરોવર ખાલી થવાનો સંભવ થાય. નિર્જરા–નવાં કર્મો આવતાં હોય તે સંવરથી અટકે પણ અગાઉથી જે કર્મો લાગેલાં હોય તેને દૂર કરવાને ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy