SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય ભાવના ૩૦૫ “ એ બિચારાને બહુ માઢુ કષ્ટ થતુ હશે, કેમકે અમારા ઉપર પણ કાઈ સંકટ આવી પડે છે, તેા કેટલું દુઃખ લાગવવુ પડે છે તે અમે જાણીએ છીએ ” એવો વિચાર કરી તેનુ દુઃખ દૂર કરવાના યત્ન કરવા; પણ એમ ન જાણવુ કે તેના દુ:ખ કે સુખમાં આપણે શું પ્રાજન છે? એમ ન ધારતાં જ્યારે એવી રીતની કરુણામયી ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે ત્યારે પોતાના જેવી સઘળાના સુખની ચાહનાથી વેરીના અભાવ થવાથી, દ્વેષ અને પરાપકારચિકીષ્ટ નિવૃત્ત થઇ જશે. એ પ્રમાણે જ્યારે પુણ્યાત્મા માણસ જોવામાં આવે ત્યારે ચિત્તમાં “અહા ! માઢુ ભાગ્ય આનાં માતપિતાનું કે જેનાથી આવા પુણ્યશાળી કુળપ્રદીપ સત્પુરુષના જન્મ થયા છે, અને તે પુણ્યશાળીને પણ ધન્યવાદ છે કે તન, મન અને ધનથી પુણ્યકાર્ય માં પ્રવૃત્ત થયેલે છે. ” એવી રીતના આનંદને પામે અને એવી રીતની મુદિતા ભાવના ચિત્તમાં ઉત્પન્ન થશે, ત્યારે અસૂયારૂપી ચિત્તના મળ પણ અવશ્ય નિવૃત્ત થશે. એવી રીતે પાપી પુરુષ જોવામાં આવે તે પેાતાના ચિત્તમાં “ તે આપણું કુત્સિત ખેલશે અને આપણું અપમાન કરશે. તેની કુટિલતાના આપણે બદલે લેવાનુ શું પ્રયેાજન છે? તે જે ચાહે તે કરે, પેાતાના કર્તવ્યનું ફળ પાતે ભાગવશે. ” એવી રીતે :તેના ઉપર ઉપેક્ષાની ભાવના કરવી. આમ ઉપેક્ષાની ભાવનાથી અમરૂપ ચિત્તમળ નિવૃત્ત થઈ જાય છે. "" એ પ્રમાણે જ્યારે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી આ સઘળાં કાલુષ્ય નિવૃત્ત થઈ જાય છે ત્યારે વર્ષાઋતુ પછીના ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy