SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રીષ્ણાંતસુધારસ શરૂઆતથી દષ્ટિગોચર થાય છે. બદ્ધ પ્રતિપાદિત મિત્રી મનુષ્યજાતિથી આગળ વધતી નથી. જેન મૈત્રી ભાવદયામય છે, ભૂતદયામય છે અને અહિંસાના અપ્રતિહત વિશાળ સિદ્ધાન્તને ઉત્કૃષ્ટ આકારમાં મૂકનાર છે. એને વિસ્તાર ન દેખી શકાય તેવા સૂક્ષ્મ જંતુથી માંડીને તિર્યચ, મનુષ્ય, નારકે અને દેવો સુધી લંબાય છે. એ ભાવ-વિચારણામાં મજા એ છે કે એમાં ભાવના કરતી વખત મનમાં વિષાદ આવે તેમ નથી, ગ્લાનિ થાય તેમ નથી, દુઃખ દેખાય તેમ નથી. એમાં આનંદનાં કલેલ છે, વિશાળતાનાં વિકુલિગે છે અને શાંતિના રસને પ્રસાર છે. એ વિચારણું જ્યારે આવશે ત્યારે છાતી ગજ ગજ ફુલશે, હૃદય વિશાળ, વિસ્તૃત અને ભાવવાહી બનશે અને મન નિર્મળતાને પામશે. એ કરનારને આનંદ છે અને જેના પ્રત્યે થાય તેને સુખ છે. એમાં એકના સુખને ભેગે બીજાને સુખ નથી, પણ બને પક્ષને આનંદ અને આનંદ જ છે. એ ભાવનાના રાજમાર્ગો ગ્રંથકર્તાએ ખૂબ સુંદર રીતે પિગ્યા છે અને તે પર ચીવટથી ચર્ચા પરિચયમાં કરી છે. વિસ્તારભયે તે દષ્ટિબિન્દુ ઉપસંહારમાં ફરી વાર ચર્ચા નથી. ભૂતદયાના વિચારણામાં લીન થયેલા આપણે કોઈ જાતના સંકેચ વગર આપણુ કાર્યક્ષેત્રમાં મૈત્રીને તો જરૂર સ્થાન આ પીએ. આપણે રાજદ્વારી ક્ષેત્રમાં વિહરતા હોઈએ તો શસ્ત્રસંન્યાસ અને લવાદી ફેસલાની વાતને બને તેટલું અનુમોદન આપીએ, દુનિયાની એક્તા કરવા પ્રયત્ન કરીએ, દેશહિતને વધારીએ, આપણે વ્યાપારમાં હાઈએ તો પ્રમાણિક લાભ લેવા લલચાઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy