SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (સાગરજી) મહારાજના કહેવા પ્રમાણે તો પૂજ્યશ્રી પૂર્વવિચ્છેદ થયો એ કાળમાં થયા હોવાથી પૂર્વગત કેટલાક પદાર્થો પણ તેઓશ્રીના ગ્રંથમાં જોવા મળે છે. તેઓશ્રીના શબ્દોમાં “તેઓ શાસ્ત્રના ચળકતા પદાર્થોને દેખવામાં નિપુણદ્રષ્ટિવાળા હોવાથી તેમજ પૂર્વશ્રુતના વ્યવચ્છેદની નજીકમાં થયેલ હોવાથી તેઓએ પૂર્વશ્રુતમાંથી કેટલોક ભાગ પ્રકરણરૂપે ભવ્યજીવોને સમજાવ્યો છે.” ( સિધ્ધચક્ર પાક્ષિક તા. ૯-૧૦-૩૮ ) વિર્ય પંન્યાસશ્રી અભયશેખર વિજય ગણિવર લખે છે કે - “૧૪૪૪ ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા સુનુ સૂરપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપલબ્ધ આગમાદિ શાસ્ત્રોમાં ન મળતી અથવા નિર્દેશ માત્ર રૂપે મળતી ઘણી બાબતો પર સ્વકીય માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે સુંદર પ્રકાશ પાડ્યો. શંકા-સમાધાન દ્વારા ઘણી બાબતોનું યથાર્થ નિર્ણયાત્મક પ્રરુપણ કર્યું. કેટલીય આગમિક બાબતોને હેતુવાદની કસોટી પર ચડાવી તર્કપૂર્ણ સિધ્ધ કરી, કેટલાય મૌલિક નિરૂપણો અને નિષ્કર્ષોથી જિક્ષાસુઓની જિજ્ઞાસાઓને તૃપ્ત કરી છે. એજ રીતે ઉપાધ્યાયજી મહારાજે શાસ્ત્રીય બાબતો અંગે ઢગલાબંધ નિષ્કર્ષો, મૌલિક સુસંવાદી પ્રરૂપણાઓ, આગમિક બાબતોનું સતર્ક પ્રરૂપણ-નિર્દોષ લક્ષણો-શાસ્રવચનોના તાત્પર્ય વગેરે પ્રરૂપવા દ્વારા જિજ્ઞાસુઓને સાનંદ આશ્ચર્યના અફાટ સમુદ્રમાં ગરકાવ કરી દીધા છે. (તાંજેતરમાં પ્રકાશિત થનાર દ્વાત્રિંશક દ્વાત્રિંશિકાની પ્રસ્તાવનામાંથી) પ્રસ્તુત ષોડશક પ્રકરણ ગ્રંથ આયછિંદમાં સોળ સોળ ગાથાઓ વાળા સોળ પ્રકરણોનો બનેલો હોઇ યથાર્થ નામ ધરાવે છે. સંસ્કૃત ભાષામાં આછિંદમાં પ્રશમરતિ અને ષોડશક પ્ર. જેવા બહુ થોડા જ ગ્રંથો રચાયા છે. આચાર્ય હરિભદ્રસૂરિજીનો આછિંદમાં સળંગ ગ્રંથ આ એક જ છે. ગ્રંથમાં આવતા અધિકારોની વાત કરીએ તો તે તે ષોડશકપ્રકરણના નામ વાંચવાથી એમાં આવતાં અધિકારોનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. એટલે આ માટે વિષયાનુક્રમ જોઇ લેવો. આ અધિકારોની આ પ્રમાણે સંકલના બાબત શ્રીમાન્ સાગરાનંદસૂરિજી મ. લખે છે કે- “સોળ અધિકારો કેવી રીતે ગોઠવ્યા છે એ વિચારવાથી પોતાની ૧. છેલ્લા ષોડશક પ્ર.માં ૧૭ ગાથા છે. આ ૧૭ મી ગાથા કર્તાના શિષ્ય રચ્યાનું કેટલાક કહે છે. પણ ઉપાધ્યાયજી મ.ની ટીકામાં આવો કોઇ નિર્દેશ નથી. (જુઓ હીરલાલ કાપડિયાનું પુસ્તક “હરિભદ્રસૂરિ”) 6 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy