SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ “મળ દૂર થવા દ્વારા પુષ્ટયાદિપણું આના (સાધકના) ચિત્તમાં કેવી રીતે થાય” આની વિવક્ષા કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે.... ગાથાર્થ - રાગાદિ મળો છે, એઓનો આગમ (સમ્યજ્ઞાન)થી ઉત્પન્ન થયેલ સદ્યોગથી નાશ થાય છે. એટલે મળનો નાશ કરનારી ક્રિયાથીજ ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ સંભવે છે. વિશેષાર્થ :- ચિત્તના રાગ દ્વેષ મોહ જ મળે છે. પણ બાહ્ય પદાર્થ નહિં. આગમોક્તમાર્ગનું સાચુ સચોટ જ્ઞાન થવાથી જે સુંદર આચરણ વિધિનિષેધપાલન થાય છે, તેનાથી એઓનો નાશ થાય છે. માટે આ મળનો નાશ કરવામાં કારણભૂત જે ક્રિયા છે તેમાં મળ વિગમ રૂપ કાર્યનો ઉપચાર કરવાથી - કારણમાં કાર્યનો ઉપચાર થવાથી સલ્કિયા રૂપ મળ વિગમથી કહેવાતી ચિત્તની પુષ્ટિ શુદ્ધિ થાય છે. પુષ્ટિ શુદ્ધિ સાક્ષાત્ તો મળના નાશથી થાય છે પણ ગ્રંથકારે ક્રિયાત એવ’ એમ જે કહ્યું છે તે ઉપચારથી જાણવું . ૩ | पुष्टिशुद्ध्योर्लक्षणं फलं चाह । पुष्टिः पुण्योपचयः, शुद्धिः पापक्षयेण निर्मलता ॥. अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया ॥ ४ ॥ पुष्टिः पुण्योपचयः प्रवर्द्धमानपुण्ययोगः, शुद्धिः पापक्षयेण सम्यग्ज्ञानादिगुणविघातकघातिकर्मव्यपगमेन निर्मलता, यावती काचिद्देशतोऽपि निरुपाधिकताऽस्मिन् पुष्टि शुद्धि लक्षणे द्वयेऽनुबंधिन्यविच्छिन्नप्रवाहे सति' क्रमेण तत्प्रकर्षप्राप्तिपरिपाट्या तस्मिन् जन्मनि भवान्तरेषु वा प्रकृश्यमाणवीर्यस्य जीवस्य मुक्तिः परी तात्त्विकी सर्वकर्मक्षयलक्षणा ज्ञेया ।। ४ ।। પુષ્ટિ શુદ્ધિના લક્ષણ અને ફળને કહે છે... ગાથાર્થ - પુણ્યનો વધારો તે પુષ્ટિ અને પાપના નાશથી સ્વચ્છતા પ્રાપ્ત થવી તે શુદ્ધિ છે. આ બંનેની અવિચ્છિન્ન પરંપરા ચાલ્ય છતે અનુક્રમે મોક્ષ મંજીલના રહેવાસી થવાય છે. ( 38 IST શીષોડશકપ્રકરણ-૩ IIIIIIIIIIIIII s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy