SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૬ ૬ સ્તવવિધિ—પંચાશક : ૪૧૭ : પ્રશ્ન – કયા કારણથી સંકળાયેલો છે? ઉત્તર :- આજ્ઞાપારતંત્રયયુક્ત દ્રવ્યસ્તવથી થયેલ ભાગવબહુમાન રૂપ ભાવલેશથી. અર્થાત્ દ્રવ્યસ્તવથી થતે ભાવલેશ (અલ્પ શુભભાવ) ભાવસ્તિવલેશ (અલ્પ ભાવસ્તવ) રૂપ છે. આથી દ્રવ્યસ્તવ ભાવલેશ વડે (અલ્પ ભાવ વ) ભાવસ્તવ સાથે સંકળાયેલો છે. ભાવલેશ (અ૯પ શુભ ભાવ) આજ્ઞા પારખંયુક્ત હોવો જોઈએ. આજ્ઞાપાતંત્ર્ય હિત ભાવલેશ માત્ર પૂજાદિ રૂપ છે, ભાવસ્તવરૂપ નથી. કારણ કે આજ્ઞાપારdયથી રહિત ભાવલેશથી ભગવાનના ચારિત્રાદિ ગુણો ઉપર બહુમાન વગેરે જે ફળ મળવું જોઈએ તે ફળ મળતું નથી. પ્રશ્ન :- દ્રવ્યરતવથી થતા આજ્ઞાપારતંત્ર્ય યુક્ત ભાગવબહુમાન રૂ૫ ભાવલેશ ભાવસ્તવલેશ કેમ છે? ઉત્તર – જિનેશ્વર ભગવાન ઉપર બહુમાન એટલે તેમનામાં રહેલા ચારિત્ર વગેરે ગુણો ઉપર બહુમાન. ચારિત્ર વગેરે ગુણે ઉપર બહુમાન એ ચારિત્રની અનુમોદનારૂપ છે. ચારિત્ર ભાવસ્તવ છે. આથી આજ્ઞાપારતંત્ર્ય યુક્ત ભગવદુબહુમાન ભાવસ્તવ છે. શ્રાવકોને આ રીતે દ્રવ્યસ્તવથી અનુમોદના આદિ દ્વારા ભારતવ હોય છે. તે સાધુની અપેક્ષાએ અપ હોવાથી ભાવસ્તવલેશ (= અ૯પ ભાવસ્તવ) છે. છે. આ રીતે દ્રવ્યસ્તવ ભાવલેશથી ભાવસ્તવ સાથે સંકળાયેલ છે. (૪) ૭. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy