SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૮ બધા પદાર્થો ઉપર સમભાવ હોય છે. જ્યાં સમભાવ હોય ત્યાં આશંસા-અપેક્ષા ન હોય. પ્રશ્ન -સવ સાવદ્યોગોને ત્યાગ સર્વકાળ સુધી થત નથી. કારણ કે તેમાં કાવવાઘ=જીવનપર્યત એમ કાળની મર્યાદા છે. આથી તેમાં વર્તમાન જીવન પૂર્ણ થયા પછી હું પાપ કરીશ એવી આશંસા-અપેક્ષા રહેલી છે. જે જીવન પૂર્ણ થયા પછી પણ પાપ કરવાની આશંસા ન હોય તે આવી મર્યાદા શા માટે રાખે? આથી સામાયિક આશંસાથી રહિત છે એમ કેમ કહેવાય ? ઉત્તર-સામાયિકમાં જીવનપર્યત એવી જે મર્યાદા રાખવામાં આવે છે તે પછી પાપ કરવાની આશંસાથી નહિ, કિંતુ પ્રતિજ્ઞાભંગના ભયથી રાખવામાં આવે છે. કારણ કે જીવન પૂર્ણ થયા પછી (મોક્ષમાં ન જાય તે ) અવશ્ય પાપ થવાનું છે. આથી સામાયિકમાં કાળની મર્યાદા હેવા છતાં તે નિરભિવૃંગ=આશંસાથી રહિત છે. * પ્રશ્નઃ-સત્તરમી ગાથાને આ (૧૮મી) ગાથા સાથે શું સંબંધ છે? ઉત્તરઃ-સત્તરમી ગાથામાં કહેલા વિષયનું જ આ ગાથામાં સમર્થન કર્યું છે. સત્તરમી ગાથામાં કહેલ “બધા પ્રત્યે સમભાવ થાય તે જ સામાયિક થાય” અને “તે જીવનપર્યત હોય ” એ બે વિષયોનું આ ગાથામાં અનુ. ક્રમે પૂર્વાર્ધથી અને ઉત્તરાર્ધથી સમર્થન કર્યું છે. (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy