________________
ગાથા-૩૩-૩૪
૪ પૂજાવિધિપંચાશક : ૨૮૩ :
રીતે સૂચન છે. તથા વીતરાગને જય એટલે વિતરાગના શાસનને જય.. એટલે વીતરાગ જયવંતા વર્તો એનો અર્થ વીતરાગનું શાસન જયવંતુ વર્તો એ પણ થાય વીતરાગનું શાસન જયવંતુ વતે એની તે સાધકને જરૂર હોય જ. કારણકે વીતરાગના શાસન વિના કેઈનું કલ્યાણ થવાનું નથી.
- પ્રણિધાન શબ્દને અથ– પ્રણિધાન સંબંધી ૩૩-૩૪ એ બે ગાથાઓ વર્તમાનમાં જીરા સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. એ નકવીરાજા સૂત્રનું પ્રણિધાન સૂત્ર એવું નામ છે. પ્રણિધાન શબ્દના એકાગ્રતા, દયાન, નિર્ણય, ધ્યેય વગેરે અનેક અર્થો થાય છે. અહીં ૨૯મી ગાથાની ટકામાં પ્રણિધાનને પ્રાર્થનામાંૌરાપ્રચં= “પ્રાર્થના ગર્ભિત (ચિત્તની) એકાગ્રતા” એવો અર્થ કર્યો છે. આ અર્થે સુસંગત છે. કારણ કે એકાગ્રતા અનેક વિષયની હોય છે. તેમાં અહીં પ્રાર્થના સંબંધી એકાગ્રતા વિવક્ષિત છે. પ્રસ્તુત સૂત્રથી પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્તે ભવનિર્વેદ આદિની પ્રાર્થના-માગણી કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રણિધાન શબ્દનો એકાગ્રતાની પ્રધાનતાની દષ્ટિએ પ્રાર્થનાગર્ભિત એકાગ્રતા એ અર્થ થાય. હવે જે પ્રાર્થનાની પ્રધાનતા કરવામાં આવે તે પ્રણિધાન શબ્દને એકાગ્ર ચિત્ત પ્રાર્થના (-માગણી) એવો અર્થ પણ થઈ શકે. પ્રભુ સમક્ષ પ્રણિધાન કરવું જોઈએ, એટલે કે પ્રભુ સમક્ષ એકાગ્ર ચિત્ત શુભ પ્રાર્થના- માગણી કરવી જોઈએ. લલિત વિસ્તરા ગ્રંથમાં પ્રણિધાનને અર્થ જણાવતાં કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org