SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા–૪૩ ૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૫ : ફળ મળતું નથી. આથી જે ફળ શૈકિક વંદનાથી મળે છે તે જ ફળ આ વંદનાથી મળે છે. જે આ વંદનાથી મોક્ષાદિ ફળ મળતું હોય તે લૌકિકવંદનાના ફળથી અધિક ફળ મળે છે એમ કહેવાય. પણ તેમ તો છે જ નહિ. માટે લૌકિક વંદનાના ફળથી આ વંદનાનું ફળ જરા પણ અધિક નથી. (ર) ઉક્ત મતાંતરમાં ગ્રંથકારની સંમતિ:एयं पि जुज्जइ चिय, तदणारंभाउ तप्फलं व जओ । तप्पच्चवायभावो, वि हंदि तत्तो ण जुत्तत्ति ॥४३॥ કેટલાક આચાર્યોનો “ત્રીજા-ચોથા પ્રકારની વંદના જૈનવંદના નથી એવો મત પણ ઘટી શકે છે. કારણ કે તે બે વંદનામાં (અપુનબંધક અવસ્થા વગેરે) જે ભાવ જોઈએ તે ભાવ જ ન હોવાથી જૈનવંદનાની શરૂઆત જ થઈ નથી. આથી જ તે બે વંદનાથી જેમ જૈનવંદનાની આરાધનાથી મળતું આ લોકમાં ઉપદ્રને નાશ, ધન-ધાન્યાદિની વૃદ્ધિ, પરલોકમાં વિશિષ્ટ દેવલોકની પ્રાપ્તિ, અને પરિણામે મોક્ષરૂપ શુભ ફળ મળતું નથી, તેમ જૈનવંદનાની વિરાધનાથી મળતું ઉન્માદ, રોગ, ધર્મબંશ વગેરે દુષ્ટફળ પણ મળતું નથી. આ વિષયને જરા વિસ્તારથી વિચારીએ. ઔષધિ બે જાતની હોય છે. સામાન્ય અને ઉગ્ર. ગળો વગેરે સામાન્ય ઔષધિનું વિધિપૂર્વક સેવન કરવામાં આવે તો સામાન્ય + ટીકામાં ન હોવા છતાં વિશેષ સ્પષ્ટતા કરવાના ઈરાદાથી આ વિવેચન લખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy