SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યાતા–ક્ષણભંગુરતા સમજાઈ. તે દુઃખથી દુનિયાને દૂર કરવા તેમણે ગૃહત્યાગ કર્યો. એ દુઃખનું મૂળ તેમને અવિદ્યામાં અને તૃષ્ણામાં અથવા લેભ, દ્વેષ અને મેહમાં દેખાયું. તેથી તેમનું એ જીવનવ્રત હતું કે પિતાની અને જગતની અવિદ્યા અને તૃષ્ણા દૂર કરવી. તે માટે જ તેમણે બુદ્ધ થયા પછી આર્ય અષ્ટાંગિક માર્ગ સૂચવ્યું અને જાહેર કર્યું કે જે કઈ માણસ માર્ગની આ આઠ અંગોનું આચરણ કરશે એ અવિદ્યા અને તૃષ્ણાથી મુક્ત થશે. તે આ પ્રમાણે છે : (૧) સમ્મા દિદ્ધિ, (૨) સમ્મા સંકષ્પ, (૩) સમ્મા વાચા, (૪) સમ્મા કમ્મતે, (૫) સમ્મા આજીવે, (૬) સમ્મા વાયામે, (૭) સમ્મા સતિ (૮) સમ્મા સમાધિ. આ આઠમાંથી સાત અંગે આઠમા અંગ સમાધિનાં સંરક્ષક અને પોષક છે. જૈનધર્મને સૂર પણ આથી કાંઈ જુદો પડતો નથી. તેણે પણ પિતાના રાગ મુજબ પિતાના શબ્દોમાં એ જ ગાયું છે. તેણે કહ્યું કે અહિંસાદિ સનાતન ધર્મોનું સેવન, ઈન્દ્રિ અને મન ઉપરને નિગ્રહ એટલે કે મન, વચન અને કાયાની બધી શુભાશુભ પ્રવૃત્તિને ત્યાગ અને શુદ્ધ પ્રવૃત્તિએનું વિવેકપૂર્વક આચરણે માણસને પરિપૂર્ણ વિકાસ સાધે છે. તેથી બધી શુદ્ધ પ્રવૃત્તિઓ પેગ કહેવાય છે. જેને પરંપરામાં યોગવિષયક તત્ત્વોને સૌથી પ્રથમ સમન્વય કરનાર શ્રી હરિભદ્રસૂરિ છે. તેમણે તે કહી દીધું કે “મેક્ષપ્રાપક ધર્મ વ્યાપાર, તે યોગ છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ જૂની પરિ ૧. જુઓ સમાધિમાર્ગ, પૃ. ૧૩–૧૪. २. मुक्खेण जोयणाओ जोगो सम्बोधि धम्मवावारो। परिसुद्धो विनेयो, ठाणाइगओ विसेसेण ॥ હરિભદ્રસૂરિ, વિંશિકા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy