________________
આ હેમચંદ્રને સિદ્ધરાજ સાથે પ્રથમ પરિચય કક્યારે થયે તે સંબંધી ચોક્કસ માહિતી ઉપલબ્ધ સાધનેમાંથી મળી શકતી નથી, પરંતુ માલવવિજય પછી તેમને સેંપાયેલું શબ્દાનુશાસન-વ્યાકરણનું ભગીરથ કાર્ય એમ સૂચવે છે કે તેમને પરિચય તે પહેલાં ઘણો ઘનિષ્ઠ અને દીર્ઘકાલીન હવે જોઈએ. તેમ જ વિદ્વદુર્ગમાં તેમનું સ્થાન ઘણું ઊંચું-કદાચ ઉત્કૃષ્ટ -હેવું જોઈએ. પ્રબંધકારના જુદા જુદા ઉલેખેની મીમાંસા કરતાં અને માત્ર વિદ્વજનોના નહિ પણ સર્વ જનેના આકર્ષણ સ્થાન એ વખતના અણહિલપુરને વિચાર કરતાં એમ લાગે છે કે હેમચંદ્ર જેવા પોતાની જ્ઞાનભૂખ ભાંગવા અને સાથે જ પોતામાં રહેલ જીવંત જવાહીરને ગુજરાતને ચરણે ધરવા આચાર્ય થયા પહેલાં જ અથવા થયા પછી તરત જ ખંભાતથી અણહિલપુરમાં આવેલા હોવા જોઈએ.
આ૦ હેમચંદ્રની સિદ્ધરાજ ઉપર કેટલી અને કેવી અસર હતી તેનું વર્ણન “કુમારપાલપ્રતિબંધ”માં આ પ્રમાણે છે –
બુધજનેના ચૂડામણિ, ભુવનપ્રસિદ્ધ સિદ્ધરાજને સંપૂર્ણ સંશયસ્થાનમાં તે પ્રણવ્યા હતા. મિથ્યાત્વથી મુગ્ધમતિ હોવા છતાંય તેમના ઉપદેશથી જયસિંહ રાજા જિનેન્દ્રના ધર્મમાં અનુરક્તમના થયે હતા. તેમના પ્રભાવમાં આવીને જ તેણે તે જ નગરમાં (અણહિલ્લપુરમાં) રમ્ય રાજવિહાર' બનાવ્યું તથા સિદ્ધપુરમાં ચાર જિનપ્રતિમાઓથી સમૃદ્ધ “સિદ્ધવિહાર' નિર્મિત કર્યો. જયસિંહ દેવના ૧. દ્વયાશ્રય કાવ્યમાં (સર્ગ ૧૫, શ્લોક ૧૬) ઉલ્લેખ છે કે સિદ્ધરાજે
સિદ્ધપુરમાં મહાવીરમંદિર” બંધાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org