________________
કહેવાથી આ મુની “સિદ્ધહેમ' વ્યાકરણ બનાવ્યું કે જે નિઃશેષ શબ્દલક્ષણનું વિધાન છે. અમૃતમયી વાણુમાં વિશાળ એવા આચાર્યને મળ્યા વિના જયસિહદેવના ચિત્તમાં એક ક્ષણ પણ સંતોષ ન થતે.”કુમારપાળ પ્રતિબોધ પૃ. ૨૨.*
ચુસ્ત શૈવધર્મી સિદ્ધરાજ જેવાના સલાહકાર અને રાહબર તરીકે રાજસભામાં રહેવું એ અગત્યની જેમ સ્વાવાદ સમુદ્રને પી જનાર, જ્ઞાનગંભીર અને ભીમદેવ પહેલાના ઉદારદિલ રાજપુરોહિત સોમેશ્વર જેવા સર્વધર્મ સમભાવી હેમચંદ્રથી જ બની શકે. તેમની દૃઢ માન્યતા હતી કે સકળ શાસ્ત્રમાં સદાચારની ભૂમિકા સરખી જ છે. વળી, જૈન દાર્શનિક વિદ્વાને અનેકાંતને “સર્વદર્શનસંગ્રહ રૂપે માને જ છે ?
હવે આપણે કુમારપાળ તથા હેમચંદ્રના સંબંધને તપાસીએ. પ્રબંધ કહે છે કે જ્યારથી સિદ્ધરાજે એ જાણ્યું કે પોતે અપુત્ર મરણ પામશે અને ગાદીને વારસ કુમારપાળ થશે, ત્યારથી સિદ્ધરાજ કુમારપાળને મારી નાખવા માગતે હતું. પરંતુ તે વાતની જાણ થતાં જ વીશ વર્ષને કુમારપાળ સિદ્ધરાજના પછીના રાજ્યત્વકાળ દરમ્યાન, એટલે કે ત્રીશ વર્ષ સુધી, ભિન્ન ભિન્ન વેશે રખડતો જ રહ્યો. આ દરમ્યાન આ૦ હેમચંદ્ર કુમારપાળને આશ્વાસન દ્વારા, પિતાના વિદ્યાબળે રાજ્ય મળવાની આપેલ ખાતરી દ્વારા, આર્થિક મદદ અપવીને કે ગુપ્ત સ્થાને સંતાડીને—એમ અનેક રીતે અનેક વખત મદદ પહોંચાડી હતી. આમ કુમારપાળ શરૂઆતથી જ ૧. સિંઘી જેનગ્રંથમાળા દ્વારા પ્રકાશિત પ્રમાણુમીમાંસા પ્રસ્તાવના પૃ.૪૦ ૨. જુઓ પ્રબંધચિંતામણિ, “સર્વદર્શનમાન્યતા’ નામને પ્રબંધ. ૩. જુઓ “કુમારપાલપ્રબંધ', પા. ૧૪, ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org