SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૧૩૫ શીતળ અને શામક જળની ઈચ્છા જાગી. સદ્ભાગ્યે થોડે દૂર કેઈ એક સાધુ હતા તેમની પાસે તે ગયે. ઉપશમ, વિવેક અને સંવરએ ધર્મ છે એટલા તેમના અલ્પ માત્ર ઉપદેશમાં ઊંડું અવગાહન કરતાં ચિલાતીપુત્ર મહાઅનર્થમાંથી બચે. પ્રકાશ બીજે સુભૂમ-૨–૨૭ તે એક ચક્રવર્તી રાજા હતા. તે પરશુરામને મસિયાઈ ભત્રીજે હતું, છતાં તેણે જ પરશુરામને વધ કર્યો હતે. વાત એમ છે કે સુભૂમના પિતામહ અને પરશુરામના માસા અનંતવીર્ય થી પરશુરામની માતા રેણુકાને ગર્ભ રહ્યો હતો, તેથી પરશુરામે પિતાની માતાને મારી નાખી. અનંતવીર્યને એ અસહ્ય લાગ્યું અને તેણે પરશુરામના પિતા જમદગ્નિને આશ્રમ છિન્નભિન્ન કરી નાખ્યો. પરશુરામે તેને સામને કર્યો અને અનંતવીર્યને મારી નાખે. આ રીતે વેર અને તેની વસુ લાતની પરંપરા શરૂ થઈ અને આગળ વધી. અનંતવીર્યને પુત્ર કૃતવીર્ય પિતાના સમાચાર સાંભળી ગુસ્સે ભરાયે અને તેણે પરશુરામના પિતાને મારી નાખ્યા. આથી પરશુરામને ક્રોધાગ્નિ ખૂબ ભભૂકી ઊઠયો. તેણે કૃતવીર્યને ખલાસ કર્યો. એટલેથી નહિ અટકતાં તેણે પૃથ્વીપટ પરની સમસ્ત ક્ષત્રિય જાતિનું સાત સાત વાર નિકંદન કાઢયું. પરંતુ હજુ સંહાર સીમાએ પહોંચ્યું ન હોય તેમ એથી વિશેષ સંહાર બાકી રહ્યો હતે. કૃતવીર્યની સગર્ભા સ્ત્રી નાસીને તાપસીના આશ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy