________________
૧૩૩
પરિશિષ્ટ-૧ બન્યું હતું. પોતે શસ્ત્રપ્રયાગમાં એટલે નિપુણ હતો કે જેના ઉપર તે પ્રહાર કરે, તે ખલાસ થયો જ હોય. તેથી તે પિતાની ટેળીમાં “દઢપ્રહારી” કહેવાતે. એકદા “કુશસ્થળ” નામના ગામમાં તેણે પિતાના માણસે સાથે લૂંટ ચલાવી. એક બ્રાહ્મણે પોતાનું ઘર લૂંટાતું જોઈને તેમને સામનો કર્યો અને દઢપ્રહારીના કેટલાક માણસને મારી નાખ્યા તથા બાકીનાને નસાડી મૂક્યા. આ જોઈને દઢપ્રહારી ઊકળી ઊઠડ્યો. તેણે બ્રાહ્મણને મારવા તલવાર ઉગામી, પરંતુ વચમાં ગાય આવી જતાં તેણે પહેલાં ગાયને ઠાર કરી. ત્યાંથી આગળ વધે તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી વચ્ચે પડી કરગરવા લાગી. પરંતુ તેણે તે તે સ્ત્રીને પણ ખલાસ કરી અને આગળ વધી બ્રાહ્મણને પંચત્વ પમાડ્યો ત્યારે જ તેને શાંતિ થઈ પ્રહારી પિતાના પ્રહારની સફળતા જોઈ રાચવા લાગ્યો. પરંતુ મનની વિચિત્રતાને પાર કેણ પામી શકયું છે? પાછા ફરતાં બહાર તરફડતાં ગર્ભને, ગાયને તથા સ્ત્રીને જોતાં જ તેનું હૃદય રડી પડયું. પિતાના અફર પ્રહારને આનંદ અદશ્ય થયું. તેમાંય પાસે ઊભેલાં બ્રાહ્મણબાળકનાં રુદને તેને વધારે રડાવ્યો. તેના મનમાં પશ્ચાત્તાપ પ્રગટયો
–એક પિટ માટે આ બધે પ્રપંચ શાને ? આનું ફળ શું? મને મંથનને અંતે તેણે ચોરી છોડી દીધી, ક્રોધને ત્યાગ કર્યો અને તે ગામની આસપાસ જ છ મહિના વિતાવી, ગ્રામજનો તરફથી થતા અનેકવિધ ઉપસર્ગો સમભાવે સહન કરી, સર્વ પાપને ક્ષય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org