SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ગશાસ અને પિતાના દેહ ઉપરનું મમત્વ પણ ઓસરી ગયું. આત્મભૂખી ઉગ્ર વિચારધારા વહી આવી અને તે જ ભવનમાં તેમને કેવળજ્ઞાન પ્રગયું. મન, વચન અને કાયાના તીવ્રતમ સંયમનું જ આ પરિણામ. માતા મરુદેવા–૧–૧૧ તેઓ શ્રીષભદેવ ભગવાનનાં માતા હતાં. એવી માન્યતા છે કે મરુદેવા માતા નિકૃષ્ટ વિકાસવાળા નિગદના જીવમાંથી કમશઃ વિકાસ પામીને વનસ્પતિકાયના જીવ તરીકે એક કેળના ઝાડમાં ઉત્પન્ન થયાં હતાં. ત્યાંથી મરી તેઓ પહેલવહેલાં મનુષ્યરૂપે જમ્યાં હતાં. અહીં તેમણે ઋષભદેવની માતા અને નાભિરાજાની પત્ની બનવાને લહાવે લીધે હતો. તેમની હયાતીમાં જ શ્રી ઋષભદેવે દીક્ષા લીધી હતી, તેથી તેમના વિયેગને કારણે રોઈ રોઈને તેમણે આંખ ગુમાવી હતી. પરંતુ જ્યારે કષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે તેઓ પિતાના પૌત્ર ભરતરાજાની સાથે તેમનાં દર્શને ગયાં. ત્યાં ઋષભદેવની નિર્મોહ બુદ્ધિ જાણે તેમને પણ સાન આવી અને પોતાની બુદ્ધિને સરાણ ઉપર ચડાવી તેના ઉપરને અગાધ મેહમેલ કાપી નાખ્યું અને પરિણામે દર્શન કરવા જતાં રસ્તામાં જ તેમને હાથીના હોદ્દા ઉપર જ કેવળજ્ઞાન પ્રગટયું. દૃઢપ્રહારી–૧–૧૨ - તે એક નીચ પ્રકૃતિને બ્રાહ્મણ હતું અને પાછળથી ચોરની ટેળીમાં ભળીને પોતાની પ્રવીણતાથી તેને નાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy