SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ યોગશાસ ઝેરન હતું, પરંતુ તેની ક્રોધભરી દષ્ટિમાંથી પણ ઝેર વરસતું હતું. એક દિવસ શ્રી વિરપ્રભુ સાધક અવસ્થામાં વિચરતા વિચારતા તેના દર પાસે જઈ સમાધિમાં ઊભા રહ્યા. સર્પે તેમના ઉપર દષ્ટિવિષ ફેંકયું, પણ પ્રભુ ચલાયમાન થયા નહિ. તેથી વિશેષ કુદ્ધ બની તેણે ડંખ માર્યા, છતાં પણ પ્રભુ ધ્યાનભંગ થયા નહિ. સર્ષે આશ્ચર્યચકિત થઈ વિચારમાં પડ્યો; કારણની ઊંડી તપાસમાં ઊતરી જતાં તેને ભૂતકાળનું સ્મરણ કરાવતું જ્ઞાન થઈ આવ્યું, તેને ભૂતકાળ પ્રત્યક્ષ થયે, ક્રોધનું માઠું પરિણામ સમજાયું અને ક્રોધ પ્રત્યે ભારે અણગમે ઊપયે. તરત જ પ્રભુની ક્ષમા યાચીને તે તેમના ચરણે ઢળી પડ્યો. પ્રભુએ તેને સદુપદેશ આપ્યું. પછી પ્રભુ વિહાર કરી આગળ ગયા અને સર્ષે પિતાનું શેષ જીવન ત્યાં પૂરું કર્યું. સનકુમાર ચક્રવર્તી–૧-૮ તે એક ચક્રવર્તી રાજા હતા. તેનું રૂપ દેવેને પણ મહાત કરે એવું હતું. એક દિવસ ઈન્ડે પિતાની સભામાં તેમના શરીરની નીગિતા અને રૂપનાં વખાણ કર્યા. તેથી ઈન્દ્રના કથનની પરીક્ષા કરવા બે દેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમની પાસે આવ્યા. દેવે સ્નાન માટે તૈયારી કરતા રાજાના શરીરનું રૂપ જોઈ ખુશ થયા; પણ રાજાએ તેમને અહંકારથી કહ્યું, “અત્યારે શું? રાજસભામાં આપ મારું રૂપ જોજો.” તેથી બ્રાહ્મણ વેશધારી દેવે રાજાને રાજસભામાં ફરી મળ્યા. આ વખતે તેઓ તેના શરીરને રેગથી ભરપૂર જોઈ ખિન્ન થયા. રાજાને રંગેની ખાતરી કરાવી દે ત્યાંથી ચાલતા થયા. રાજા શરીરની આવી સ્થિતિ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy