________________
પરિશિષ્ટ ૧ યોગશાસ્ત્રાન્તર્ગત દર્શને ટૂંક સાર
પ્રકાશ પહેલો
મહાવીર–પ્રકાશ ૧, કલેક ૧
જેના વીશ તીર્થકરોમાંના ચરમ તીર્થકર શ્રીવધ માન સ્વામી શ્રી મહાવીરસ્વામી તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. તેમણે રાગદ્વેષરૂપી આંતર શત્રુઓને ઘણા ટૂંકા સમયમાં પરાજિત કરી પિતાની અસાધારણ વીરતાને પરિચય કરાવ્યું હતું. જે વીરપુરુષે પિતાની વીરતાને પરિચય બીજાઓના વિનાશ દ્વારા આપે છે, તેમની સમક્ષ તેમણે “કામાં ફરી મૂષણમ્'ને આદર્શ મૂક્યો હતો, અને કૌશિકનાગ તથા સંગમ ગોવાળિયા જેવી અનેક અપકારક વ્યક્તિઓને વિનાશ કરવાને બદલે તેમના ઉપર ક્ષમા વર્ષાવી તે આદર્શને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. કૌશિક–૧-૨
તે એક દષ્ટિવિષ સર્પ હતો. શાસ્ત્રોમાં તે કૌશિક અથવા ચંડકૌશિક એ નામથી પ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે તે સર્ષની પહેલાંના ભવમાં કૌશિક ગેત્રમાં જન્મેલે તાપસ હતે; પરંતુ પિતાના અત્યંત ક્રોધી સ્વભાવને કારણે સર્ષરૂપે જખ્યું હતું. સામાન્ય સર્ષની માફક માત્ર તેની દાઢમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org