________________
કાશ્મીરમાંથી પ્રસિદ્ધ આઠ વ્યાકરણે મંગાવ્યાં અને તેમના દેહનરૂપ એક સર્વાંગસુંદર અને સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કરી આપ્યું. રાજા અને આચાર્યની એકત્ર સ્મૃતિ ખાતર તેનું નામ “સિદ્ધહેમ” રાખ્યું. આ વ્યાકરણ માત્ર સંસ્કૃત ભાષાનું જ નથી, તે વખતની જૂની પ્રાકૃતભાષાઓનું પણ છે. ત્યારબાદ તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના કેશ નામે “અભિધાનચિંતામણિ” અને “દેશીનામમાળા” બનાવ્યા. વ્યાકરણનાં સૂત્રને ભાષામાં સાર્થક બતાવવા અને ગુજરાતના ચૌલુક્ય વંશના રાજાઓને ઈતિહાસ જનતા સમક્ષ મૂકવા–એવાં બે કારણોના આશ્રયરૂપ તેમણે દ્વયાશ્રય કાવ્ય બે ભાગમાં લખ્યું. પહેલે ભાગ સંસ્કૃતમાં અને બીજે ભાગ પ્રાકૃતમાં છે. બીજો ભાગ કુમારપાળના જીવનચરિત્રરૂપ છે. ગુજરાતના ઇતિહાસ અને સામાજિક જીવનના અભ્યાસીએ અને ગષકે આ બન્ને કા અવશ્ય વાંચવાં જોઈએ. તે ઉપરાંત કાવ્ય અને છંદની મીમાંસા કરતા બે ગ્રંથ નામે “કાવ્યાનુશાસન” અને “ઇ દેનુશાસન” પણ રચ્યા.
ત્યારબાદ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” રચ્યું. તેમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ બળદેવે, ૯ વાસુદેવે અને ૯ પ્રતિવાસુદે–એમ ૬૩ શ્રેષ્ઠ પુરુષનાં ચરિત્રે છે. આ એક વિશાળ પુરાણ ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યની વિશાળ પ્રતિભાને સમજવા માટે આ ગ્રંથ જરૂર વાંચવું જોઈએ. જેન રામાયણ અને જૈન મહાભારત પણ એમાં અંતર્ગત થઈ જાય છે. તેમાં દશ પર્વો છે. ઉપરાંત, એક પરિશિષ્ટ પર્વ છે. તેમાં મહાવીર પછીના આચાર્યોનાં ચરિત્ર છે. આ પરિશિષ્ટ પર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org