SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર અરે ! સંકલ્પજન્મા આ કામદેવે તે સમસ્ત સંસારને હેરાન હેરાન કરી મૂક્યો છે. તેથી તેના જન્મસ્થાન સંકલ્પને જ હું ઉખેડી નાખું. (૧૩૫). यो यः स्याद्बोधको दोषस्तस्य तस्य प्रतिक्रियाम् । । चिन्तयेद् दोषमुक्तेषु प्रमोदं यतिषु व्रजन् ॥१३६।। (વળી મહાશ્રાવક) દેવમુક્ત સાધુઓ પ્રત્યે પ્રેમભાવ રાખીને પિતામાં જે જે બાધક દોષ હોય તેમનાથી ઊલટા ગુણનું ચિંતવન કરે. (૧૩૬) दुःस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् । निसर्गसुखसर्ग तेष्वपवर्ग विमार्गयेत् ॥१३७॥ વળી, સર્વે જીવોની સંસારઅવસ્થા દુઃખમૂલક છે એમ શાંત ચિત્તે વિચાર કરતે કરતે શ્રાવક એવી અભિલાષા કરે કે બધા જ સ્વાભાવિક સુખયુક્ત મોક્ષને મેળવે. (૧૩૭) संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि ॥१३८॥ (ત્યારબાદ) ઘણા ઉપદ્રવે આવી પડવા છતાં પિતાના તેમાં દઢ રહેનાર અને તેથી પ્રભુની પણ પ્રશંસા પામનાર કામદેવાદિ શ્રાવકો ખરેખર, ધન્ય છે. (૧૩૮) जिनो देवः कृपा धर्मों गुरवो यत्र साधवः । श्रावकत्वाय कस्तस्मै न श्लाघेताविमूढधीः ? ॥१३९।। જેને દેવ (રાગદ્વેષાદિને જીતનાર) જિન છે, જેને ધર્મ દયારૂપ છે અને જેના ગુરુઓ (પાંચ મહાવ્રતધારી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy