SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ નૈવેદ્ય તથા તેત્રો વડે પૂજા કરી તથા યથાશક્તિ (આહારદિને) ત્યાગ કરી, દેવમંદિરમાં જવું. તેમાં વિધિસર પ્રવેશ કરી જિન ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી, (પછી) પુષ્પ વગેરે દ્વારા તેમનાં પૂજા--સત્કાર કરી ઉત્તમ સ્તવને વડે સ્તુતિ કરવી. (૧૨૧–૧૨૨-૧૨૩) ततो गुरूणामभ्यणे प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा प्रत्याख्यानप्रकाशनम् ॥१२४॥ ત્યારબાદ વિશુદ્ધાત્મા મહાશ્રાવકે (દેવવંદન અર્થે આવેલા કે ધર્મકથાદિ કહેવા માટે ત્યાં જ રહેલા) ગુરુઓની સમીપમાં (જઈ) તેમને પ્રતિપત્તિ-વિનયપૂર્વક પોતે કરેલ આહારાદિને ત્યાગ કહી સંભળાવે. (૧૨) अभ्युत्थानं तदालोकेऽभियानं च तदागमे । शिरस्यञ्जलिसंश्लेषः स्वयमासनढोकनम् ॥१२५॥ आसनाभिग्रहो भक्त्या वन्दना पर्युपासनम् । - तद्यानेऽनुगमश्चेति प्रतिपत्तिरियं गुरोः ॥१२६।। ગુરુને દેખતાં જ ઊભા થઈ જવું, તેઓ આવે ત્યારે સામા જવું, માથે હાથ જોડવા, પિતાની જાતે જ તેમને આસન લાવી આપવું, તેમના બેઠા પછી પોતે બેસવું, ભક્તિપૂર્વક વંદન કરવું, તેમની સેવાશુશ્રષા કરવી, તેમ જ તેઓ પાછા જાય ત્યારે તેમની પાછળ પાછળ (થડે સુધી) જવું–આ (ગુરુવંદનાદિ ઉપચાર વિનયરૂ૫) ગુરુપ્રતિપત્તિ કહેવાય છે. (૧૨૫–૧૨૬) ततः प्रतिनिवृत्तः सन् स्थानं गत्वा यथोचितम् । Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy