SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २२० જિનશાસનન સમજે છે. જૈન સમાજ વિધીની હિંસા અટકાવવાને અધિકારી છે. ચીનનું આક્રમણ આપણે માટે વરદાન બની ગયું છે કારણ કે આ અભૂતપૂર્વ જાગૃતિનું એ અગ્રદૂત બન્યું છે. આપણે પ્રધાનશ્રીની મારફત સરકારની સેવામાં પ્રાર્થના કરીએ છીએ કે આવી દેશની કટેકટીના સમયે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ, મંત્રીમંડળના આકારને ઘટાડવા તેમ જ આપણું ખર્ચ ઓછા કરવાને માટે ગંભીરતાપૂર્વક વિચાર કરે. ગણિશ્રી જનકવિજયજીએ ઉદ્ઘેષણ કરી કે આપણે આપણે એક એક ઈંચ જમીન શત્રુ પાસેથી ખાલી કરાવવી છે. રાષ્ટ્રધર્મ સર્વમુખી છે. જૈન ધર્મ આક્રમણને પાપ માને છે પરંતુ આત્મરક્ષાની અનુમતિ મુખ્યત્વે માને છે. આપણે રકતદાનનું વચન આપી ચૂક્યા છીએ. અમે જ્યાં જ્યાં જઈશું, જનતા જનાર્દનમાં રાષ્ટ્રપ્રેમને સંચાર કરીશું. આચાર્યશ્રીએ આશીર્વચનનું કથન કરતાં કહ્યું કે ભારત ઋષિભૂમિ છે. આત્મરક્ષણથી બધું કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી આપણે અહિંસા, સત્ય ધર્મમાં નિષ્ઠાવાન છીએ, આપણે વિજય નિશ્ચિત છે. શ્રી સત્યપાલ મિત્તલે કહ્યું કે જે દેશના ત્યાગી સંત પણ આવી એજસ્વી પ્રેરણા આપે છે તે દેશ કદી પણ પરાજિત થશે જ નહિ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary:org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy